Home મનોરંજન - Entertainment બાહુબલી, આરઆરઆર બાદ રાજામૌલિ ૧૭૭૦ ફિલ્મ લાવશે

બાહુબલી, આરઆરઆર બાદ રાજામૌલિ ૧૭૭૦ ફિલ્મ લાવશે

47
0

(જી.એન.એસ),તા.૨૦
મુંબઈ
ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસ આધારિત ફિલ્મો બનાવવામાં રાજામૌલિની હથોટી આવી ગઈ છે. બાહુબલિની બંને ફિલ્મોની જેમ ઇઇઇ પણ સુપરહિટ રહી હતી. આ બંને ફિલ્મોની સ્ટોરી તેમના પિતા કે.વી. વિજેન્દ્રપ્રસાદે લખી હતી. હવે તેમણે ઐતિહાસિક ઘટના આધારિત ત્રીજી ફિલ્મની સ્ટોરી લખી છે. ૧૭૭૦ નામની આ ફિલ્મને પિરિયડ ડ્રામા તરીકે રજૂ કરવામાં આવશે. રાજામૌલિએ મોશન પિક્ચર રીલિઝ કરીને ૧૭૭૦ બનાવવાનું એલાન કર્યું હતું. પહેલી નજરે ૧૭૭૦ને જાેવાથી ઇઇઇની યાદ આવી જાય છે. આ ફિલ્મ પણ અંગ્રેજ સરકાર સામેના સ્વતંત્રતા સંઘર્ષ આધારિત છે. પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર બંકીમ ચંદ્ર ચેટર્જીની નોવેલ આનંદમઠના આધારે ફિલ્મની સ્ટોરી તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મને રાજામૌલિ ડાયરેક્ટ નથી કરવાના, પરંતુ તેમના આસિસ્ટન્ટ અશ્વિન ગંગારાજૂને જવાબદારી સોંપાઈ છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે, તેને છ ભાષામાં રીલિઝ કરવામાં આવશે. હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં તેને રીલિઝ કરવાનો પ્લાન છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ હજુ ફાઈનલ થઈ નથી અને રાજામૌલિને તેની ઉતાવળ પણ નથી. હાલ તેઓ મહેશ બાબુ સાથેની ફિલ્મમાં બિઝી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમિલ ગીતકાર કો સેશાએ વેજ ભોજન મંગાવ્યું અંદર નોનવેજ આવ્યું..
Next articleUS ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં હજુ પણ નોંધપાત્ર વધારો કરવામાં આવશે એવી ચિંતાઓ વચ્ચે સ્થાનિક શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!