Home મનોરંજન - Entertainment પ્રખ્યાત કલાકાર અને રાજનેતા વિનોદ ખન્નાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

પ્રખ્યાત કલાકાર અને રાજનેતા વિનોદ ખન્નાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

354
0

((જી.એન.એસ), તા.૫
દિગ્ગજ અભિનેતા અને રાજનેતા વિનોદ ખન્નાનાં શરિરમાં પાણીની અછતનાં કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શુક્રવારની રાત્રે ગિરગાંવમાં સ્થિત એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાવામાં આવ્યા હતાં. અભિનેતાનાં પુત્ર રાહુલ ખન્નાએ જણાવ્યુ કે, ડોક્ટર ખુબ જ જલ્દી તેમને હોસ્પિટથી રજા આપી દેશે.
રાહુલ ખન્નાએ વધુમાં જણાવ્યુ કે, “મારા પિતાજીને ગંભીર ડિહાઇડ્રેશનનાં કારણે શુક્રવારનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમની તબિયત હાલમાં ઠીક છે અને ડોક્ટર તેમને રજા આપવાનું વિચારી રહ્યા છે.” આ અંગે હોસ્પિટલ સ્ટાફનાં સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, વિનોદ ખન્નાનાં સ્વાસ્થ્યમાં સુધાર આવી રહ્યો છે અને હવે તેઓ પહેલાથી વધારે ઠીક છે.
વિનોદ ખન્ના હાલમાં રાજનીતિ સાથે ફિલ્મોમાં પણ વ્યસ્ત છે. તેમની નવી ફિલ્મ ‘એક થી રાની એસી ભી’ છે. આ નવી ફિલ્મમાં તેમને ગ્વાલિયરનાં રાજાની ભૂમિકા ભજવી છે. તેમની સાથે આ ફિલ્મમાં અભિનેત્રી હેમા માલિનીએ ગ્વાલિયરની રાણી વિજિયા રાજે સિધિંયાની ભૂમિકા ભજવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામ કે નામ, યશવંતસિંહાની ઝારખંડમાં ધરપકડ
Next articleસંજય દત્તની ભાભી સાથે રહે છે ‘આ’ વિવાદાસ્પદ વ્યક્તિ