(જી.એન.એસ),તા.૨૬
ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સમાં KRK તરીકે ઓળખાતા કમાલ આર ખાને કરિયરમાં બહુ ઓછી ફિલ્મો કરી છે. જો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગેની પોસ્ટના કારણે તેઓ હંમેશા વિવાદમાં રહે છે. તાજેતરમાં મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી સોશિયલ મીડિયા X પર આપતાં કમાલ ખાને જણાવ્યું હતું કે, ધરપકડ બાદ તેમનું મૃત્યુ થાય તો તેને મર્ડર સમજવું અને આ મર્ડર કોણ કરાવી શકે તે દરેક વ્યક્તિ જાણે છે. કમાલ ખાને પોતાની એક પોસ્ટમાં જણાવ્યું છે કે, મુંબઈ પોલીસે 2016ના કેસમાં તેમની ધરપકડ કરી છે. ન્યૂ યર માટે દુબઈ જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને પણ પોતાની પોસ્ટ ટેગ કરી છે.. કમાલ ખાને પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, આજે હું ન્યૂ યરના અવસરે દુબઈ જઈ રહ્યો હતો. મુંબઈ પોલીસે મને એરપોર્ટ પર એરેસ્ટ કર્યો હતો. પોલીસના દાવા મુજબ, 2016ના એક કેસમાં હું વોન્ટેડ છું. સલમાન ખાનનો આરોપ છે કે, તેમની ફિલ્મ ટાઈગર 3 મારા માટે નિષ્ફળ રહી હતી. કોઈ સ્થિતિમાં જેલ અથવા પોલીસ સ્ટેશનમાં મારું મોત થાય તો દરેકે તેને હત્યા માનવી. દરેકને ખબર છે કે, આ હત્યા માટે કોણ જવાબદાર હશે. કમાલ ખાનની આ પોસ્ટ વાઈરલ બન્યા બાદ તેમણે થોડા સમયમાં સોશિયલ મીડિયા પરથી ડીલિટ કરી દીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.