Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પૂર્વ એરફોર્સ ચીફ RKS ભદૌરિયા ભાજપમાં જોડાયા

પૂર્વ એરફોર્સ ચીફ RKS ભદૌરિયા ભાજપમાં જોડાયા

41
0

(જી.એન.એસ),તા.૨૪

નવીદિલ્હી,

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું કદ વધતુ જઈ રહ્યુ છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નાના-મોટા નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીની સદસ્યતા આપી.

આ દરમિયાન મંત્રી અનુરાગ ઠાકુર અને મહાસચિવ વિનોદ તાવડેએ બંને નેતાઓનું સ્વાગત કર્યું. અનુરાગ ઠાકુરે કહ્યું કે આરકે ભદૌરિયા અને વી પ્રસાદ રાવનું વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે પૂર્વ એર ચીફ માર્શલ આરકે ભદૌરિયા આત્મનિર્ભર ભારતના અભિયાનમાં ખૂબ સક્રિય રહ્યા છે. અને હવે તેમનું યોગદાન રાજકીય વ્યવસ્થામાં રહેવાનું છે.

વી પ્રસાદ રાવ રાવ અંગે તેમણે કહ્યું કે પ્રસાદ રાવ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પના સ્વપ્નને સાકાર કરવા ભાજપમાં આવ્યા છે. સરકારના વખાણ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. આ જ કારણ છે કે આરકે ભદૌરિયા સર જેવા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

ભાજપમાં જોડાયા બાદ પૂર્વ એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ કહ્યું કે વિકસિત ભારતનો આ સંકલ્પ વૈશ્વિક સ્તરે ભારતને એક અલગ ઓળખ અપાવશે. તેઓ વિકસિત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે ભારતીય સેનાને મજબૂત અને આધુનિક બનાવવા માટે કરવામાં આવેલા કામથી ઘણી આત્મનિર્ભરતા આવશે.વધુમાં રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ કહ્યું કે તેમણે ભારતીય વાયુસેનામાં 40 વર્ષથી કામ કર્યું છે. આ દરમિયાન પૂર્વ વાયુસેના પ્રમુખે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ આભાર માન્યો હતો.

પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીની સદસ્યતા આપી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાપુર ખાતે સુપ્રસિધ્ધ ગણપતિ મંદિરે દર્શન કર્યા
Next articleઅરવિંદ કેજરીવાલની ધરપકડ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મોટું નિવેદન