Home ગુજરાત પાસ ક્ન્વીનર હાર્દિક પટેલ સહિત ૫૧ પાટીદારોએ મુંડન કરાવી ન્યાય યાત્રાનો પ્રારંભ...

પાસ ક્ન્વીનર હાર્દિક પટેલ સહિત ૫૧ પાટીદારોએ મુંડન કરાવી ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો

1090
0

સરકાર માત્ર ચા પીવડાવી, કોણીએ ગોળ લગાવી, લોલીપોપ આપે છે
રાજ્ય વિધાનસભાની ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ પાટીદાર અનામત આંદોલનને વધુ આક્રમક બનાવવાની રણનીતી હાર્દિક પટેલના નેતૃત્વના ઘડવામાં આવી રહી છે. પાસ દ્વારા સરકાર પાસે ન્યાયની માંગણી માટે વિરોધરૂપે ૫૧ પાટીદારો માથે મુંડન કરાવીને આજે બોટાદના લાઠીદળથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં અધિકાર સભા અને ૨૧ મે ના રોજ ભાવનગરમાં સિંહ ગર્જના યાત્રા કાઢવામાં આવશે.
જેમાં સરકારની અનામત વિરોધી માનસિકતાનો વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત આ યાત્રામાં સરકારની ઉદાસીનતા, પંકજ પટેલ મર્ડર કેસ, માંડવીકાંડ અને તે અન્ય કેસોમાં સરકારી કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરીશું.આ યાત્રા આ વિસ્તારના ૫૦ ગામોમાં ફેરવવામાં આવશે.
જયારે હાર્દિક પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મળવા બોલાવ્યા હોવાની વાત કરી તો તેમણે કહ્યું કે સરકાર વારંવાર માત્ર ચા પીવા જ બોલાવે છે. ત્યાર બાદ એકની એક વાતે કોણીએ ગોળ લગાવાય છે . પાટીદાર આયોગ બનાવીશું આમ કરીશું તેમ કરીશું પણ માત્ર વાત કરે છે આયોગમાં કેવા પ્રકારની વ્યવસ્થા હશે. કેવી રીતે કામ કરશે. પાટીદારોને શું સુવિધા મળશે તે અંગે કોઈ ચોખવટ કરવામાં આવતી નથી. સરકાર પાસે આ અંગે કોઈ નક્કર આયોજન નથી. આ મુદ્દે પણ સરકાર હજુ પણ પાટીદારોને માત્ર લોલીપોપ આપીને વાતને અટકાવી દે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ મોદી જશે ઈઝરાયેલના પ્રવાસે : ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે
Next articleબાપુ છેડા છુટકો કરે , તો ખબર પડે કે કેટલી ટિકીટો બચશે