(જી.એન.એસ)કોલકાત્તા,તા.૫
ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર આશિય નેહરાને ક્રિકેટરો ઉપરાંત અન્યો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે નેહરાને લઇને ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ એક મોટો ખુલાસો કર્યો છે.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે, મને લાગે છે કે, નેહરાનો બેસ્ટ ફ્રેન્ડ ફિજિયો હતા. મને લાગે છે કે, નેહરા પોતાની પત્ની કરતા વધુ સમય પોતાના ફિજિયો સાથે વીતાવતો હતો. જો કે, પોતાના શરીર સાથે જોડાયેલી પરેશાનીઓના કારણ કે વધુ સમય ક્રિકેટ રમી શક્યો ન હતો. પરંતુ, તે ઘણો પ્રતિભાશાળી છે. એટલા માટે ઇજા થવા છતાં પણ તે ક્રિકેટ રમતો રહ્યો. તે ઇજાથી ઘેરાયેલો રહ્યો. પરંતુ, તેણે ક્યારેય હાર નથી માની.
ગાંગુલીએ કહ્યું કે, તેનો વિદાય સમાહોર ઘણો સન્માનજનક હતો. મોટાભાગના ખેલાડીઓનું એવી નસીબ રહ્યું નથી જેમને પોતાના જ ઘરેલુ મેદાન પર છેલ્લી મેચ રમી હોય. આ પહેલા સચિન તેંડુલકરે આ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને હવે આ યાદીમાં આશિષ નેહરા પણ સામેલ થયો છે. સારુ લાગે છે કે, પસંદગીકારોએ તેના પર વિશ્વાસ જગાવ્યો. પોતાની છેલ્લી મેચમાં નેહરાએ સારી બોલિંગ કરી હતી. કોટલામાં તેની બોલિંગ બિલકુલ અલગ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.