Home દેશ - NATIONAL દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ અફરાતફરી મચાતા બે વકીલ થયા ઘાયલ

દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ અફરાતફરી મચાતા બે વકીલ થયા ઘાયલ

53
0

(જી.એન.એસ),તા.૨૨
નવીદિલ્હી
રોહિણી કોર્ટમાં રાજધાનીની રોહિણી કોર્ટમાં ગોળીઓના અવાજથી અફરા તફરી મચી હતી. બાદમાં જાણવા મળ્યું કે આ ગોળીબાર ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં બે વકીલો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે પોલીસ અધિકારીઓ આ વાતને નકારી રહ્યા છે. ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલાની તપાસના આદેશ આપ્યા હતા. સુરક્ષા તપાસ દરમિયાન વકીલો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી એક સૈનિકે ગોળીબાર કર્યો. ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો સલામત સ્થળ તરફ ભાગવા લાગ્યા. તેઓએ વિચાર્યું કે કોર્ટ પરિસરમાં ફરી ગેંગ વોર છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે પોલીસકર્મીએ ગોળી ચલાવી હતી. ઘટના બાદ તરત જ દિલ્હી પોલીસના અધિકારીઓ પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારી પેનલે કરી ભલામણ, 5 થી 11 વર્ષના બાળકોને ટૂંક સમયમાં મળશે વેક્સીન
Next articleRSS અને ભાજપાના ઇશારે મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે : શફીકર રહેમાન બર્ક