Home ગુજરાત દારૂના નશામાં અસામાજિક તત્વોએ કરી ગાડીઓમાં તોડફોડ, ભયનો માહોલ

દારૂના નશામાં અસામાજિક તત્વોએ કરી ગાડીઓમાં તોડફોડ, ભયનો માહોલ

359
0

(જી.એન.એસ.)સુરત .તાં.૧
સુરતનો લીંબાયત વિસ્તાર જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ અહી કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે થર્ટી ફર્સ્ટની રાત્રે અસામાજિક તત્વોએ ગોડદરા વિસ્તારમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જો કે આવા તત્વો સામે ૫ગલા લઇને કાર્યવાહી કરવાના બદલે સુરત પોલીસ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો રાગ આલાપી રહી છે.
હત્યા, મારા-મારી, લુખ્ખાગીરી વગેરે બનાવોની વણઝાર વચ્ચે સુરતના લીંબાયત વિસ્તારમાં વર્ષની અંતિમ ક્ષણો અને નવા વર્ષના પ્રારંભે ૫ણ શાંતિ નહોતી. લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગત રાત્રે અસામાજિક તત્વોએ દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. આતંક મચાવી રહેલા આ શખ્સોએ હાથમાં ધોકા સાથે ધસી આવીને અહી ૫હેલા વાહનોમાં તોડફોડ ૫ણ કરી હતી.
સમગ્ર વિસ્તારમાં ફક્ત ભયનો માહોલ ફેલાવવાના આશયથી કરાયેલા આ હુમલા બાબતે પોલીસ તંત્ર અજાણ હોવાનું જણાવી રહ્યું છે. જો કે હકિકત કંઇક એવી છે કે, આ બનાવ સમયે લીંબાયત પોલીસની એક વાન અહી મોજુદ હોવાનું બતાવાઇ રહ્યું છે. જેનો સીધો મતલબ એવો થયો કે, અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર રહ્યો નથી. પોલીસની હાજરીમાં અસામાજિકતા આંચરતા ખચકાતા નથી. ત્યારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અહી કેવી હશે ? તે સામાન્ય લોકો ૫ણ સમજી શકે તેમ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુલવામા હુમલોઃ 16 વર્ષનો ફિદાયીન નીકળ્યો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર
Next articleદ.ભારતની 81 બેઠકો સર કરવા મોદીના સારથી બનશે “રજનીદેવા”…!!?