Home ગુજરાત ઢબુંડીનાં ગોરખધંધામાં ડે.કલેકટર પણ સામેલ..? આખરે ધનજી ઓડ ફરાર

ઢબુંડીનાં ગોરખધંધામાં ડે.કલેકટર પણ સામેલ..? આખરે ધનજી ઓડ ફરાર

995
0

(જી.એન.એસ.કાર્તિક જાની) તા.૨૬

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઢબુંડીમાં ના નામેં લોકોની આસ્થા સાથે રમતો ધનજી ઓડ ફરાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ધનજી ઓડ માતાજી બની લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. જેનો પર્દાફાશ ગઈકાલે GNS ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે GNS ના પત્રકારે ઢબુંડીમાંના અંગત સેવક ભરત સાથે ટેલિફોનિક વાત ચીત કરી ત્યારે તે સેવકે જણાવ્યું કે અત્યારે તમામ મીડિયામા ચાલી રહ્યું છે. પરંતુ અમારી ઢબુંડી ઉર્ફે ધનજી ઓડ સાચા વ્યક્તિ છે. જેની સત્ય હકીકત અમે તમને બતાવીશું. હવે સવાલ એ છે કે જો ધનજી ઓડ દેવી શક્તી બની અને લોકોના જો ખરે-ખર દુખ દૂર કરી રહયા હોય તો કેમ ધનજી ઓડ ભાગી રહ્યો છે? કેમ ઢબુંડી માં કહેવતો ધનજી રાજસ્થાન ભાગી ગયો.? હવે જોવાનું એ છે કે શું GNS ના કેમેરા સમક્ષ ઢબુંડી માતાજીના નામે અને લોકોની શ્રદ્ધા સાથે રમતો ધનજી ઓડ પોતાની હકીકત બતાવશે..? કે પછી અસ્થાનો પ્રતીક ગુજરાતના લોકો આવા ઢોંગી ભૂવાઓના શિકાર બનતા રહશે..? પરંતું GNS ન્યૂઝની ટિમ ઢબુંડીમાંના પરદા પાંછળની સત્ય હકીકત બહાર લાવીને જ રહેશે. જી.એન.એસ.ટીમને સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે આ ધનજી ઓડની પાછળ કોઈ ડે. કલેકટર કક્ષાનો પણ હાથ છે. જે તેને બચાવી રહ્યો હોય તેવુ જાણવા મળી રહ્યું છે.ત્યારે સવાલ એ છે કે કોણ છે આ ડે. કલેકટર જે લોકોની આસ્થા સાથે રમતો ધનજી ઓડને સાથ આપી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શું અંગત સેવક ભરત જી.એન.એસ ટીમને ધનજી ઓડ સાથે મુલાકત કરાવશે..? કે પછી તે પણ ફરાર થઈ જશે..? જો ધનજી ઓડ અને તેના અંગત સેવકોની તાપસ થાય તો કરોડોની મિલકત બહાર આવે તેમાં કોઈ નવાઈ નહિ. હવે જોવાનું એ રહયું કે  આ ધનજી ઓડ ઉપર અને તેના અંગત સેવકો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે..? કે પછી હજુ ધનજીના ધતિંગ ચાલુ જ રહેશે ..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસુલ કર્મચારીઓ ફરી મેદાનમાં: સરકાર સામે ચડાવી બાંયો,
Next articleભારતનો પાકિસ્તાને પચાવી પાડેલ ખૂબસૂરત વિસ્તાર “પોક” માં અદભુત 10 વેલી.