Home ગુજરાત ડભોઈ-વાઘોડિયા બ્રિજ પર અકસ્માત સર્જાય એ પહેલા સાઈન બોર્ડ મુકો : લોકોની...

ડભોઈ-વાઘોડિયા બ્રિજ પર અકસ્માત સર્જાય એ પહેલા સાઈન બોર્ડ મુકો : લોકોની માંગ

124
0

(જી.એન.એસ),તા.૨૩

વડોદરા,

વડોદરામાં ડભોઈ-વાઘોડિયા રોડ પર નવો બ્રિજ બની રહ્યો છે. બ્રિજ નિર્માણના કારણે રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. આ ડાયવર્ઝન રાહદારીઓ માટે માથાનો દુઃખાવો બન્યા છે. જેમા કેટલાક રસ્તાઓ કાચા છે.  આ ઉપરાત  ડાયવર્ઝન આપેલા રસ્તા પર કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા નથી. જેના કારણે વાહનચાલકો અટવાય છે. કોઈ વાર તો વાહનચાલકો જે રસ્તા પરથી આવ્યા હોય તે જ રસ્તા પર ફરીને પાછા આવી જાય છે. ડાયવર્ઝનના કારણે આવી ભૂલભુલૈયા સર્જાઈ છે. જેના પગલે તરસાણા, મોરપુરા, છીપાપુરા, પ્રયાગપુરા, કરાલીપુરા અને કરાલી આ પાંચ ગામના લોકો ડાયવર્ઝનના કારણે ભારે અટવાય છે. વાહનચાલકો ડાયવર્ઝન પર સાઈન બોર્ડ મુકવા માગણી કરી રહ્યા છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો ના પડે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહોળીના તહેવાર પર માદરે વતને પહોંચવા મુસાફરોની બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ
Next articleસુરત ભાજપના નેતાની ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું