Home મધ્ય ગુજરાત અમદાવાદ ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ...

ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ ખાતે ડાક અદાલતનું આયોજન

18
0

(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ, અમદાવાદની કચેરી ખાતે 30-04-2024નાં રોજ બપોરે 4 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રુપે સાંભળશે અને સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરશે.

અમદાવાદની પોસ્ટ ઓફિસરની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુર, અમદાવાદ- 380009ને મોકલાવી જેથી નિયત તારીખ 25-04-2024 સુધી કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવનારે અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પરત ખેંચ્યું 
Next articleપેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત