Home વ્યાપાર જગત - BUSINESS ચાઈનામાં કોવિડના કેસોમાં ચિંતાજનક વધારો અને ફરી વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાવાના ભયે...

ચાઈનામાં કોવિડના કેસોમાં ચિંતાજનક વધારો અને ફરી વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાવાના ભયે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

53
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૦૨.૨૯ સામે ૬૧૯૯૩.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૯૩૮.૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૫.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૦૬૭.૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૨૩.૯૫ સામે ૧૮૪૭૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૨૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૨૭૫.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ચાઈનામાં કોવિડના કેસોમાં ચિંતાજનક વધારાથી પરિસ્થિતિ વણસી રહ્યાના અહેવાલ અને ફરી વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાવાના ફફડાટ વ્યાપ્ત થતાં અને બેંક ઓફ જાપાને એકાએક તેની બોન્ડ યીલ્ડ પોલીસીમાં બદલાવ કરીને યીલ્ડની બે – તરફી મર્યાદામાં ફેરફાર કરી વૈશ્વિક બજારોને આંચકો આપ્યો હતો. જાપાનના આ નિર્ણયના સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ યુટિલિટીઝ, પાવર, સર્વિસિસ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં હેમરીંગે બીએસઇ સેન્સેક્સ ૬૩૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટ તૂટીને નીચી સપાટીએ બંધ રહ્યા હતા. અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થયા બાદ આકરી નાણાં નીતિ ચાલુ રહેવાના સંકેત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો તેમજ ચીન – હોંગકોંગમાં કોરોનાના કેસ વધતા વૈશ્વિક મંદીના સંકેતો પ્રબળ બનતા તેની અસર શેરબજાર પર જોવા મળી હતી.

બેંક ઓફ જાપાન દ્વારા એકાએક બોન્ડ યીલ્ડની બે-તરફી મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લેવાતાં અને એક પ્રકારે લાંબાગાળાના વ્યાજ દરમાં વધારો કરવાની અમેરિકા સહિતના દેશોની નીતિમાં જોડાતાં વૈશ્વિક બજારોમાં આંચકા આવ્યા હતા. હેલ્થકેર અને આઇટી શેરોમાં પસંદગીની લેવાલી સામે કમોડિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, એનર્જી, રિયલ્ટી, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૪૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૨.૯૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર અને આઇટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૪૧ અને વધનારની સંખ્યા ૭૩૧ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ૧૪૫ અબજ ડોલરના મર્જર એન્ડ એક્વિઝિશન સોદાની સામે વર્તમાન વર્ષમાં એમએન્ડએના ૧૭૧ અબજ ડોલરના સોદા થયા છે, જે કોઈ એક વર્ષના અત્યારસુધીના સૌથી ઊંચા છે. એચડીએફસી બેન્ક અને એચડીએફસીના ૫૭.૮૦ અબજ ડોલરના એકીકરણને કારણે ૨૦૨૨માં એમએન્ડઓનો આંક ઊંચો જોવા મળ્યો છે. વિદેશી કંપનીઓ હસ્તગત કરવામાં ભારતની કંપનીઓ વર્તમાન વર્ષમાં આક્રમક રહી હોવાનું પણ જોવા મળ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.

બેન્કો દ્વારા ધિરાણ પૂરા પાડવામાં વધી રહેલા રસ, નીચા મૂલ્યાંકનો તથા દેશના અર્થતંત્રની સાનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૨૩માં પણ એમએન્ડએ સોદામાં ગતિ જળવાઈ રહેવાની બેન્કરો અપેક્ષા રાખી રહ્યા છે. વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખતા ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં એક્વિઝિશન આગામી વર્ષ મંદ પડવાની શકયતા નકારાતી નથી. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ પ્રમાણમાં મજબૂત છે, ત્યારે ઘરઆંગણે એમએન્ડએ સોદા ચાલુ રહેશે. ઘરઆંગણે ખાસ કરીને નવા યુગનું  ટેકનોલોજી ક્ષેત્ર હાલમાં કન્સોલિડેશનના તબક્કામાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાતે
Next articleભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ, નવી લહેરને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા નિર્દેશો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.