Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા ભૂખ હડતાળ આરોગ્યકર્મીઓની ઘરમાં ચાલુ કરી

ગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા ભૂખ હડતાળ આરોગ્યકર્મીઓની ઘરમાં ચાલુ કરી

36
0

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સહિતના આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસે ફોજદારી કરવાનું શસ્ત્ર ઉગામતા આંદોલનકારીઓએ આંદોલન કરવાની નવી તરકીબ શોધી કાઢી છે. આરોગ્ય કર્મચારીઓએ આંદોલન સામે પોલીસની કડકાઇને ધ્યાનમાં રાખીને ઘરબેઠા આંદોલન કરવાનું નક્કી કર્યું છે. આરોગ્ય કર્મચારીઓએ હડતાળ યથાવત રાખીને ઘરે ભૂખ હડતાળ ચાલુ કરી છે અને કામનો બહિષ્કાર કર્યો છે

​​​​​​​

આરોગ્ય કર્મચારીઓને કેટલીય બેઠકો થઇ ગયા પછી છેવટે કર્મચારીઓએ હડતાળ યથાવત રાખતા પોલીસે કડાઇ દાખવવાનું શરૂ કર્યુ છે. રાજ્યભરમાંથી આવતા આરોગ્ય કર્મચારીઓએ આંદોલનને કારણે ગાંધીનગરમાં જ રહેવાનું શરૂ કરી દીધું હતુ, પણ સરકારની કડકાઇ વધતા આરોગ્ય કર્મચારીઓ તેમના ઘરે પહોંચી ગયા છે. પોલીસે આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસ કેસનું શસ્ત્ર ઉગામતા આંદોલનનો રૂખ બદલાઇ ગયો છે.

રાજ્યના 16 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓએ ઘરબેઠા ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. કર્મચારીઓના કહ્યા પ્રમાણે આગામી તેમની ફાઇનલ મીટિંગ આરોગ્ય મંત્રી સાથે છે. અગાઉ બેઠક થઇ ગઇ હતી. આ પછી રવિવારે પણ બેઠક હતી. હવે છેલ્લી બેઠક થાય તેવી શકયતા છે. આ બેઠક પછી ખ્યાલ આવશે કે તેમના કેટલા પ્રશ્નો ઉકેલાયા અને કેટલા પેન્ડિંગ રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં નિગમ કર્મચારીઓની માગ, સીપીએફના 100 કરોડ પરત લઈ પેન્શન આપો
Next articleગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં