Home દેશ - NATIONAL ખેડૂતોનું દેવું માફ નહી કરવામાં આવે તો ગઠબંધન તોડવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે

ખેડૂતોનું દેવું માફ નહી કરવામાં આવે તો ગઠબંધન તોડવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે

391
0

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૦
મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર સંકટનાંવાદળો ઘેરાઇ ગયા છે. શિવસેના સુપ્રીમો ઉદ્ધ ઠાકરેએ ધમકી આપી છે કે જો રાજ્યનાં ખેડૂતોની લોન માફ નહી કરવામાં આવે તો શિવસેના સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. ઠાકરેએ વડાપ્રધાન મોદીનાં મનની વાત કાર્યક્રમ પર મર્મ કરતા કહ્યું કે હવે મનની વાતમાં ખેડૂતોની વાત કરો.
ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને અઢી વર્ષ થઇ ગયા પરંતુ હજી સુધી ખેડૂતો માટે શું કર્યું. હવે ઘણુ મોડુ થઇ રહ્યું છે ખેડૂતોની લોન માફ કરવામાં આવે. ઠાકરેની સાથે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમદાવાદ બુલેટ ટ્રેન ચલાવવાથી સામાન્ય માણસને તેનો શો ફાયદો થશે.
ઠાકરેએ નાસિકમાં ખેડૂતોનાં અધિવેશનમાં કહ્યું કે, ખેડૂતોનાં દેવા માફી મુદ્દે શિવસેના વિધાનસભામાં માર્ચ કરશે. સાથે જ સમગ્ર રાજ્યમાં ખેડૂતોનું દેવા માફ કરવા માટે અભિયાન ચલાવશે. ઘણા સમયથી ભાજપ અને શિવસેનાનાં સંબંધોમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં થયેલ બીએમસી ચૂંટણી બાદ બંન્ને પાર્ટીઓ વચ્ચે તિરાડ પડી ગઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાક.ની નાપાક હરકત : કાશ્મીરમાં નવું આતંકી સંગઠન ઊભુ કરવાનું પ્લાનિંગ
Next articleવેટ અધિકારીઓની વેપારી અને વકીલોને કનડગત, ભાજપના ફંડ માટે કે સરકારને બદનામી અપાવવા??