Home મનોરંજન - Entertainment કપિલ શર્માને ભારે પડ્યો સુનીલ ગ્રોવર, નવાં શો સાથે પરત ફરશે મશહૂર...

કપિલ શર્માને ભારે પડ્યો સુનીલ ગ્રોવર, નવાં શો સાથે પરત ફરશે મશહૂર ગૂલાટી

361
0

(જી.એન.એસ), તા.
સુનીલ ગ્રોવર સાથે લડાઇ કર્યા બાદ લાગે છે કે કપિલ શર્માનો સમય કંઇ ઠીક નથી ચાલી રહ્યો. સુનીલ ગ્રોવર, ચન્દન પ્રભાકર અને અલી અસગર દ્વારા ‘ધ કપિલ શર્મા શો’ છોડ્યા બાદ શોની ટીઆરપી ખુબ ઘટી ગઇ છે અને હવે ખબર આવી રહી છે કે, સોની એન્ટરટેનમેન્ટ ચેનલ આ શોને બંધ કરી રહ્યુ છે.
એક અહેવાલ અનુસાર, કપિલનાં શોનાં સ્થાને એક નવો શો શરૂ થશે, જેમા સુનીલ ગ્રોવર મેન લીડ હશે. સૂત્રો અનુસાર, ચેનલવાળા સુનીલ સાથે કપિલે કરેલ મારપીટથી ખુબ નારાજ છે, તેમને શો વિશે જેટલુ અનુમાન લાગાવ્યું હતું તેનાથી વધારે શોનું રેટિંગ ઘટી ગયુ છે. જો આવનારા સમયમાં આવું જ ચાલતુ રહ્યુ તો તેઓ કપિલને તો ક્યારેય સાઇન નહી કરે. એવુ પણ બની શકેછે કે આખો શો જ બંધ કરી દેવામાં આવે.
હાલમાં ચેનલ માત્ર સુનીલ પર જ ફોકસ કરવા માંગે છે અને તેની સાથે શો બનાવવા ઇચ્છે છે. કપિલ-સુનીલની લડાઇ બાદ ચેનલે સુનીલને નવાં શો માટે એપ્રોચ કર્યો હતો પરંતુ તેને હજૂ સુધી કોઇ નવો કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો. તમને જણાવી દઇએ કે, સુનીલનાં ડોક્ટર મશહૂર ગૂલાટી અને રિંકૂ ભાભીનાં કેરેક્ટર પર સોનીનાં કોપીરાઇટ છે. ચેનલને સુનીલનાં લાઇવ શોથી પણ રૂપિયા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોમ્બે હાઇકોર્ટનો મહારાષ્ટ્રને સિદ્ધો સવાલ, શિવાજીનું સ્મારક બનાવવા માટે ક્યાંથી આવશે ૩૬૦૦ કરોડ
Next articleરેપર સિંગર બાદશાહના નવા આલ્બમને યુટ્યુબ પર ૪૮ કલાકમાં મળી સવા કરોડ હીટ