Home ગુજરાત ઉનાના અંજાર ગામ નજીક યુવાન પર બે શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો

ઉનાના અંજાર ગામ નજીક યુવાન પર બે શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો

18
0

ઉનાના અંજાર ગામ નજીક બે શખ્સોએ યુવાન પર અગાઉનું મનદુઃખ રાખી લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. જેથી પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેલવાડા ગામે રહેતા શામજીભાઇ મસરીભાઇ બારૈયા અને તુલશીભાઇ મેર વચ્ચે આજથી આશરે એકાદ વર્ષ પહેલા બોલાચાલી થઈ હતી.

જેનું મનદુઃખ રાખી નિમીત મેર તેમજ કાના મજેઠીયા આ બન્ને શખ્સોએ અંજાર જવાના રોડ પાસે ચોકડીની આગળ નાળા પાસે શામજીભાઇને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનના પાછળ વાસાના ભાગે ઇજા કરી જ્ઞાતિ વિરૂધ્ધ અપશબ્દો અને ગાળો બોલી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બાબતે શામજીભાઇ બારૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો વિરૂધ એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની કરાઇ ઉજવણી
Next articleકલોલમાં મતગણતરીના આગલા દિવસે ચૂંટણી ટાણે જ 24 લાખથી વધુનો દારૂ જપ્ત