Home ગુજરાત ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભા સચિવ શ્રી...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

22
0

(G.N.S) dt. 22

ગાંધીનગર,

‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


આઝાદીની ચળવળમાં ‘ઇન્દુચાચા’એ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના કારણે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનીત કરવામાં આવ્યા હતા.


આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા, વિધાનસભાના, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી
Next articleદૈનિક રાશિફળ (તા.૨૩-૦૨-૨૦૨૪)