Home અન્ય રાજ્ય આ લોકસભા ચુંટણીમાં મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છે:...

આ લોકસભા ચુંટણીમાં મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છે: અસદુદ્દીન ઓવૈસી

20
0

(જી.એન.એસ) તા. 6

હૈદરાબાદ,

એઆઈએમઆઈએમ ના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે પોલીસ અને ચૂંટણી પંચે તેલંગાણાના તમામ મતદાન મથકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થવી જોઈએ. હૈદરાબાદના મતદાન મથકો પર જ કેમ વધુ ધ્યાન આપવામાં આવે છે? શા માટે નિઝામાબાદ, આદિલાબાદ, મલકાજગીરી, સિકંદરાબાદ, કરીમનગર અને મહબૂબનગર પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી? તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીની સિક્યોરિટી ડિપોઝીટ જપ્ત કરાવીશું. તેમણે કહ્યું કે અમે અહીં મોદી અને અમિત શાહને હરાવીશું.

ઓવૈસીએ કહ્યું કે ભાજપના ઉમેદવાર માધવીલથા હમણાં જ આવ્યા છે અને તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તેઓ ખોટી વાતો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છે. તેણે કહ્યું કે મારી સામે કોઈ પડકાર નથી.

તેલંગાણામાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. તેલંગાણા તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીંથી 17 લોકસભા બેઠકો આવે છે. નોટિફિકેશન જાહેર કરવાની તારીખ 18મી એપ્રિલ છે, જ્યારે તેલંગાણા માટે નામાંકન ભરવાની તારીખ 25મી એપ્રિલ છે. તેવી જ રીતે, 26મી એપ્રિલ સુધી નામાંકનની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગતું હોય તો તે 29મી એપ્રિલ સુધી કરી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીએસપી દ્વારા યુપી ના જૌનપુર લોકસભા સીટ પરથી શ્યામ સિંહ યાદવ ને ઉમેદવાર જાહેર કર્યા
Next articleઅખિલેશ યાદવે શ્યામ લાલ પાલને સમાજવાદી પાર્ટી ના યુપીના નવા અધ્યક્ષ બનાવ્યા