Home મનોરંજન - Entertainment આસિત મોદીના નિવેદન પછી તારક મહેતા ફેમ શૈલેષ લોઢાએ સો. મિડીયા પર...

આસિત મોદીના નિવેદન પછી તારક મહેતા ફેમ શૈલેષ લોઢાએ સો. મિડીયા પર પોસ્ટ શેર કરી

45
0

(જી.એન.એસ),તા.૦૮
મુંબઈ
પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની સ્ટારકાસ્ટના કારણે ચર્ચામાં છે. તારક મહેતા શોના કલાકારોની એન્ટ્રી એક્ઝિટના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેમાં નવું નામ શૈલેષ લોઢાનું છે. અટકળો છે કે, તેમણે શો છોડી દીધો છે. રવિવારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ શૈલેષ લોઢાને લઈને પ્રતિક્રિયા આપી હતી. આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, શોમાં નવા તારક મહેતા તો આવશે, જૂના આવશે તો વધારે મજા આવશે. શો બંધ થશે નહીં. આસિત કુમારના આ નિવેદન પછી શૈલેષ લોઢાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તેમણે ઈન્સ્ટા પોસ્ટ પર હાલમાં જ પોતાના મનની વાત વ્યક્ત કરી છે. હવે શૈલેષની આ પોસ્ટ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીના રિએક્શનનો જવાબ છે અથવા બીજું કઈ એ તો એક્ટરને જ ખબર હશે. શૈલેષે ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો ફોટો શેર કરી લખ્યું- ‘તેરે મેરે રિશ્તે કા યહી હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ દિમાગ રહા’. શૈલેષની શૈલી. શૈલેષ લોઢાની આ પોસ્ટ ફેન્સની વચ્ચે વાયરલ થઈ રહી છે. શૈલેષના ફેન્સ ઈચ્છે કે તેઓ ફરીથી તારક મહેતામાં પાછા આવી જાય. મેકર્સની સાથે તેમનો જે પણ વિવાદ હોય છે તેનો નિવેડો લાવે. આમ તો ફેન્સને એ વાતની ખાતરી છે કે શૈલેષ ટીવી સ્ક્રિનથી ગાયબ નથી થયા. તેઓ તારક મહેતામાં જાેવા નથી મળતા તો શું થયું, પોતાના નવા શો વાહ ભાઈ વાહમાં ફેન્સને એન્ટરટેન કરે છે. તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ બધાને સાથે જાેડીને રાખવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ શું કરવું જાે કોઈ આવવા જ ન માગતું હોય તો. લોકોનું પેટ ભરાઈ ગયું છે તેઓ ઘણું બધું કરી ચૂક્યા છે અને કરવા માગે છે. આસિત મોદીએ કહ્યું કે શો બંધ નહીં થાય. નવા તારક મહેતા જરૂર આવશે, જૂના આવશે તો પણ ખુશી થશે. અમે માત્ર બધાને એન્ટરટેઈન કરવા માગીએ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમિતાભ બચ્ચનને ચાલુ શૂટિંગમાંથી ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા ?
Next articleવિન્ડીઝને ૮૮ રને હરાવી ભારતે સિરીઝ જીતી લીધી