Home ગુજરાત આમ આદમી પાર્ટીએ માણસ તાલુકા અને શહેરના હોદ્દેદારોની નિમણૂંક કરી

આમ આદમી પાર્ટીએ માણસ તાલુકા અને શહેરના હોદ્દેદારોની નિમણૂંક કરી

205
0

(જી.એન.એસ.)માણસા,તા.૩૧
સાચા સ્વરાજ, જન લોકપાલ તથા ભ્રષ્ટાચારમુક્ત ભારતના નિર્માણ માટે સ્થાપિત “આમ આદમી પાર્ટી” ના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અને શહેર સંગઠનમાં નવીન હોદ્દેદારોની નવનિયુક્તિ કરવામાં આવી છે. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’ તરફથી યોગ્ય-સર્વમાન્ય-લોકપ્રિય-ઈમાનદાર-પ્રતિષ્ઠિત-પ્રબુદ્ધ-સ્વચ્છ પ્રતિભા સંપન્ન નાગરિકોને ઉમેદવાર તરીકે પસંદ કરી વ્યવસ્થા પરિવર્તન પ્રક્રિયા માટે ભગીરથ પ્રયત્નોને વધુ વેગમાન બનાવવામાં આવનાર છે.
દિલ્હીમાં અભૂતપૂર્વ સફળતા બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સત્તા પરિવર્તન અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણ નિર્માણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેના પગલે પક્ષની રાજનૈતિક ગતિવિધિઓ હવે તબક્કાવાર સક્રિય રીતે વિસ્તારવામાં આવનાર છે.
આજ રોજ માણસા કાર્યાલય ખાતે તાલુકા ઉપપ્રમુખ તરીકે મોતીભાઈ દેસાઈ, તાલુકા યુવા પ્રમુખ તરીકે મહિપાલસિંહ વાઘેલા, તાલુકા મહામંત્રી તરીકે ભરતજી ઠાકોર, તાલુકા યુવા ઉપપ્રમુખ તરીકે હર્ષરાજ રાઠોડ અને શહેર યુવા પ્રમુખ તરીકે જીગર ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી એમ એક અખબારી યાદીમાં આમ આદમી પાર્ટી, માણસાના તાલુકા પ્રમુખશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનલૉક-3 માટે નવી માર્ગદર્શિકા જાહેર: કન્ટેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃતિઓ શરૂ કરાશે
Next articleમાણસા તાલુકા કાર્યકારી પ્રમુખ તરીકે માવજીભાઇ ચૌધરીની નિમણૂંક