Home મનોરંજન - Entertainment ‘આદિપુરુષ’ માટે દરેક થીયેટરમાં હનુમાનજીની સીટ ખાલી રખાશે

‘આદિપુરુષ’ માટે દરેક થીયેટરમાં હનુમાનજીની સીટ ખાલી રખાશે

21
0

(GNS),07

પ્રભાસની બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂને થીયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે કૃતિ સેનન અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં છે, જ્યારે ફિલ્મનું ડાયરેક્શન ઓમ રાઉતે કર્યું છે. ૫૦૦-૬૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મના પ્રમોશમાં કોઈ કસર રખાઈ નથી અને હવે તો તેમાં હનુમાનજીના નામને પણ ઉમેરી દેવાયું છે. ‘આદિપુરુષ’ને જે થીયેટરમાં રિલીઝ કરવામાં આવે ત્યાં ભગવાન હનુમાન માટે એક સીટ ખાલી રાખવાનો નિર્ણય લેવાયો છે.  ભારતીય સિનેમામાં પહેલી વખત આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે.

‘આદિપુરુષ’ની ટીમે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, રામાયણના પાઠ થાય છે ત્યાં ભગવાન હનુમાન પ્રગટ થાય છે. આ અમારો વિશ્વાસ છે. આ વિશ્વાસનું સન્માન કરતાં જે થીયેટરમાં પ્રભાસને રામના રોલમાં રજૂ કરતી ફિલ્મ રજૂ થસે ત્યાં એક સીટ હનુમાનજી માટે રિઝર્વ રાખવામાં આવશે, તેનું વેચાણ કરવામાં આવશે. રામના સૌથી મોટા ભક્તને સન્માન આપવાનો ઈતિહાસ સાંભળો.  ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ ક્રિસ્ટોફર કનગરાજે આદિપુરુષ અંગે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, આદિપુરુષ માટે પીવીઆરની ટિકિટમાં નોર્મલ સીટ માટે રૂ.૨૫૦ અને હનુમાનજીની બાજુમાં બેસવા માટે રૂ.૫૦૦.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘આદિપુરુષ’ નુ બીજું ટ્રેલર છે દમદાર
Next articleસલમાન ખાન જ હોસ્ટ કરશે બિગ બોસ ઓટીટી 2