Home ગુજરાત ઉત્તર ગુજરાત અરવલ્લીમાં બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના...

અરવલ્લીમાં બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં

26
0

(જી.એન.એસ) તા. 8

અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો જેમાં, બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. મોડી રાત્રી દરમિયાન ભિલોડાના ભેટાલી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચૂંટણી ફરજ પૂર્ણ કરીને શિક્ષક ગોપીચંદ ડાભી પરત પોતાના ઘરે જેસીંગપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાતા તેમનું મોત નિપજ્યું હતુ.

મોડીરાત્રીના અરસા દરમિયાન સામેથી આવી રહેલી કારની સાથે શિક્ષકની કાર અથડાઈ હતી. સામે અથડાયેલ કાર સ્થાનિક બુટલેગરની હોવાની વિગતો સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી કાર સાથે શિક્ષકની કારનો અકસ્માત સર્જાતા બંને કારના ચાલકોનું મોત નિપજ્યું હતુ. શિક્ષક ગોપીચંદ ડાભી અને બુટલેગર નીતિન બળેવાનું મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે પોલીસે પણ તપાસ શરુ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક આગ ની બનાવ
Next articleનિયા શર્મા એ સેટ પરથી કેટલાક બીટીએસ ફોટા અને વીડિયો સોશિયલ મિડીયામાં શેર કર્યા