Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીના બિંદાપુરમાં ભાજપ નેતાની બે અજાણ્યા બદમાશોએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી

દિલ્હીના બિંદાપુરમાં ભાજપ નેતાની બે અજાણ્યા બદમાશોએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી

49
0

દિલ્હીના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મટિયાલા રોડ પર શુક્રવારે સાંજે ભાજપ (BJP) નેતા સુરેન્દ્ર મટિયાલાની બે અજાણ્યા બદમાશોએ નિર્દયતાથી તેમની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે લગભગ 7:45 વાગ્યે પોલીસને માહિતી મળી કે સુરેન્દ્ર મટિયાલાની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બે અજાણ્યા બદમાશો હાથમાં હેલ્મેટ સાથે ઓફિસની અંદર ઘૂસ્યા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી 4 ગોળી સુરેન્દ્રને લાગી હતી.

તમને જણાવી દઈએ કે ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઓફિસની અંદર હાજર લોકોએ સુરેન્દ્ર મટિયાલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સુરેન્દ્ર ભાજપના સ્થાનિક નેતા હતા અને તેમણે વર્ષ 2017માં કોર્પોરેટરની ચૂંટણી પણ લડી હતી. સુરેન્દ્ર મટિયાલાના પિતરાઈ ભાઈ અને પ્રત્યક્ષદર્શી રામ સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે ઓફિસમાં કુલ 4 લોકો હાજર હતા. જેમાં રામ સિંહ અને અન્ય બે લોકો બેસીને વાત કરી રહ્યા હતા જ્યારે સુરેન્દ્ર મટિયાલા ટીવી જોઈ રહ્યા હતા. બે લોકો ઓફિસની અંદર ઘૂસ્યા જેમણે ફાયરિંગ શરૂ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તે કંઈક સમજી શકે ત્યાં સુધીમાં સુરેન્દ્ર મટિયાલાને ગોળી મારી દેવામાં આવી હતી. ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે અને ઓફિસની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 53 હજારને પાર
Next articleમહારાષ્ટ્રના રાયગઢમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ખાનગી બસ, 12 મુસાફરોના મોત અને 25થી વધુ મુસાફરો ઘાયલ થયા