Home દુનિયા - WORLD બેંગાલુરૂના બારમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, 5ના મોત

બેંગાલુરૂના બારમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, 5ના મોત

867
0

(S.yuLk.yuMk)બેંગલુરુ,íkk.08
કર્ણાટકની રાજધઆની બેંગલુરૂમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર કેઆર માર્કેટ માં આવેલા કૈલાશ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે અંદાજીત અઢી વાગે આગ લાગી હતી. આ ઘટના દરમિયાન રેસ્ટોરન્ટની અંદર 5 કર્મચારીઓ સુતા હતા. જે તમામ આગની ઝપેટમાં આવી જતા તેનું મોત નિપજ્યું
છે. સ્થાનિક લોકોએ બારમાંથી ધુમાળો નિકળતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી આગ લાગવાની ખબર મળતા જ ફાયર બ્રિગેડની 2 ગાડિયો ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ હતી. અને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ બારની અંદર સુતેલા કર્મચારીઓને બચાવી શક્યા ન હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ મંજુનાથ, કીર્તિ, મહેશ, સ્વામી અને પ્રસાદના રૂપમાં થઈ છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બારમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આ નેતાને પહેરાવાયો જૂતાનો હાર
Next articleઅલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી પી.એચ.ડી. કરી રહેલો વિદ્યાર્થી બન્યો આતંકી