(જી.એન.એસ :03) જો કે સૂર્યગ્રહણ- ચંદ્રગ્રહણને ધર્મ અને જ્યોતિષ બંનેમાં અશુભ માનવામાં આવે છે, પરંતુ આ ગ્રહણની રાશિઓ પર સારી અસર પણ પડે છે. આગામી સૂર્યગ્રહણ છ રાશિઓ માટે પણ ખુબજ શુભ સાબિત થવાનું છે. ત્યારે જાણીએ કે કઈ રાશિ માટે આ સૂર્યગ્રહણ શુભ પરિણામ આપશે. વૃષભઃ આ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે. ગ્રહણ આ રાશિના લોકો માટે માન- સન્માન લાવશે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપારમાં લાભ થશે. એકંદરે આ સમય પૈસા અને કારકિર્દીની દ્રષ્ટિએ સારો રહેશે. મિથુનઃ આ સમય મિથુન રાશિના લોકોને જૂના વિવાદોમાંથી મુક્તિ અપાવશે. આ સિવાય તમારી કોઈપણ ઈચ્છાઓ પુરી થવાની સંભાવના છે. તમને સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિ: આ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ ફાયદાકારક સાબિત થશે. તમારી કેટલીક જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. અટકેલા કામ હવે પૂરા થવા લાગશે. સફળતાના યોગ છે. કન્યા રાશિ: આ રાશિના લોકો પર સૂર્યગ્રહણની શુભ અસર પડશે. આ સમય દરમિયાન સાહસ અને પરાક્રમમાં વધારો થઇ શકે છે. તેનાથી કામ થતા જશે. કાર્યમાં સફળતા પણ મળશે. મકર- મકર રાશિના લોકો માટે વેપારમાં પ્રગતિ મળવાની તકો રહેશે. નોકરી શોધનારાઓને તેમની કારકિર્દીમાં નવી તકો મળી શકે છે. આવક સંબંધિત સ્ત્રોતો અંગે એકંદરે લાભની સ્થિતિ રહેશે. કુંભ- આ રાશિના લોકો માટે પણ સૂર્ય ગ્રહણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તેમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. અટકેલા કામો પણ આ ગ્રહણ પછી હવે પૂરા થવા લાગશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.