(S.yuLk.yuMk)દ્વારકા,íkk.29
દ્વારકામાં દિવ્યાંગ તથા વડીલ પ્રવાસીઓ માટે ઇ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાને કારણે યાત્રાધામનું વાતાવરણ પણ સ્વચ્છ રહે તે હેતુ સાથે ઇ રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાનો પ્રારંભ ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાવવામાં આવ્યો છે. અને આ નિર્ણયને પગલે પાલિકાઓ 10 ઇ રિક્ષાઓ ફાળવી છે જે કાર્યરત થઈ ચૂકી છે. મંદિર પરિસરથી મંદર ધણું દૂર છે ત્યારે ખાસ કરીને વૃદ્ધો, અશક્તો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
જગત મંદિર સુધી પહોંચવા વૃદ્ધો અને દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઇ રિક્ષાનો પ્રારંભ નગર પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ સુવિધા સચવાઈ રહે તેની જવાબદારી હાલ દ્વારકા નગરપાલિકાના શીરે રાખવામાં આવી છે. આ રિક્ષાઓ દ્વારકા જતા જગત મંદિરના માર્ગ પરથી દિવ્યાંગ, અશક્ત તેમજ વૃદ્ધોને છેક જગત મંદિર સુધી પહોંચાડવામાં આવશે. આ સુવિધાથી પ્રવાસન ક્ષેત્રે પણ વધુ પ્રવાસીઓ લાભ લઈ શકે છે. અને પ્રવાસનને પણ વેગ મળશે આ સેવા હાલમાં વિનામૂલ્ય જ ચાલી રહી છે. અન તેને વધુ અસરકારક કેવી રીતે બનાવવી તે અંગે પાલિકાની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.