(GNS),07
આજથી 78 વર્ષ પહેલા જાપાને એવી તબાહી જોઈ હતી, જેને આખી દુનિયા ભૂલી નથી શકી. 6 ઓગસ્ટ, 1945ના દિવસે અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધને ખત્મ કરવા માટે અમેરિકાએ 6 થી 9 ઓગસ્ટ વચ્ચે જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. આ વિશ્વનો સૌથી પહેલો વિનાશક પરમાણુ હુમલો હતો. પરમાણુ બોમ્બને કારણે હિરોશિમામાં 4000 ડિગ્રીથી વધારે ગરમી પૈદા થઈ, જેને કારણે આખુ શહેર જોતજોતામાં તબાહ થઈ ગયુ. વર્ષ 1939માં શરુ થયેલુ વિશ્વ યુદ્ધ છ વર્ષ સુધી ચાલ્યું, પણ અટકવાનું નામ લેતુ ના હતુ. તે સમયે જાપાન તાકતવર દેશ હતો. તેને રોકવા માટે અમેરિકાએ હિરોશિમાં પર લિટિલ બોય અને નાગાસાકી પર ફૈચ બોય નામના પરમાણુ બોમ્બ ફેંકયા હતા.
પરમાણુ બોમ્બની અસરથી 40 હજારથી વધારે લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. પરમાણુ હુમલાને કારણે શહેરની આસપાસના વિસ્તારોમાં પરમાણુ વિકિરણને કારણે વર્ષો સુધી બાળકો અપંગ જન્મયા હતા. જાપાની સેનાએ અમેરિકાના સેન્ય અડ્ડા પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. પરમાણુ હુમલાને કારણે લોકાના શરીરની છાપ જમીન પર છપાઈ ગઈ હતી. તબાહીના દ્રશ્યો વર્ષો સુધી તેવા જ રહ્યા હતા. પરમાણુ બોમ્બની શક્તિ જોતા જાપાને આ બોમ્બનો શાંતિપૂર્ણ ઉપયોગ અને પરમાણુ બોમ્બ ના બનાવવાનો સંકલ્પ કર્યો. જાપાનને બે શહેરોને તબાહ કર્યા બાદ અમેરિકાએ માફી પણ માગી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.