Home દુનિયા - WORLD 50 વર્ષ જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર

50 વર્ષ જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર

509
0

અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષ જુના એક ચર્ચને નવી ઓળખ મળી છે.
(S.yuLk.yuMk)ડેલાવરે,íkk.27
અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષ જુના એક ચર્ચને નવી ઓળખ મળી છે. જી હાં, ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવી નાંખવામાં આવ્યું છે. આ કિસ્સો અમેરિકાના ડેલાવરેનો છે. નવેમ્બરમાં તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અમદાવાદના સ્વામિનારાયણ સંસ્થાન દ્ધારા દુનિયાભરમાં અત્યાર સુધી પાંચ ચર્ચને મંદિરમાં ફેરવી નાંખવામાં આવ્યા છે. જેમાંથી 3 અમેરિકામાં છે. સ્વામિનારાયણ સંસ્થાનની શાખાઓ દુનિયાના અનેક દેશોમાં છે, જેના દ્ધારા હિન્દૂ ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરવામાં આવે છે.
ડેલાવરે અગાઉ સ્વામિનારાયણ સંસ્થાન કેલિફોર્નિયા અને કેન્ટુકી સ્થિત ચર્ચને પોતાના તાબામાં લઇને તેને મંદિરની ઓળખ આપી ચૂક્યું છે. સંસ્થા બ્રિટનમાં પણ બે ચર્ચોને નવી ઓળખ આપી ચુકી છે. જેમાંથી એક લંડન અને બીજુ બોલ્ટન (મેનસ્ટર)માં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધી વાસુ પટેલે જણાવ્યું કે 2014-15માં હાઇલેન્ડ મેનોનાઇટ ચર્ચને એક્વાયર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 3 વર્ષોમાં તેને નવેસરથી તૈયાર કરી મંદિરનું રૂપ આપવામાં આવ્યું હતું. તેમના અનુસાર, જિર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયા બાદ ભારતથી વિશેષ રીતે લાવવામાં આવેલા બે શિખર અને એક ગુંબજને તેમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. વાસુ પટેલે જણાવ્યું કે ત્રણ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ ચર્ચને મંદિરમાં ફેરવવામાં અંદાજે 1.45 મિલિયન ડોલર (લગભગ 9.28 કરોડ રૂપિયા) નો ખર્ચ થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field