Home મધ્ય ગુજરાત અમદાવાદ ૧૫માં દિવ્ય કલા મેળાનું ભવ્ય સમાપન સમારોહ યોજાયો – રેકોર્ડ બ્રેક ૨...

૧૫માં દિવ્ય કલા મેળાનું ભવ્ય સમાપન સમારોહ યોજાયો – રેકોર્ડ બ્રેક ૨ કરોડના વિક્રમી વેચાણ થયું

19
0

(G.N.S) Dt. 25

અમદાવાદ,

મેળામાં આયોજિત રોજગાર મેળામાં ૧૪ દિવ્યાંગોને જોબ ઓફર લેટર મળ્યા

  • મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ એનાયત થયો
  • દિવ્યાંગ કલાકારોને પોતાની કલા કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો
  • ૨૦ રાજ્યોમાંથી લગભગ ૧૦૦ દિવ્યાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત ૧૫માં દિવ્ય કલા મેળાનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.


૧૫માં દિવ્ય કલા મેળામાં રેકોર્ડ બ્રેક ૨ કરોડના વિક્રમી વેચાણ થયું હતું. આ મેળામાં આયોજિત રોજગાર મેળામાં ૧૪ દિવ્યાંગોને જોબ ઓફર લેટર આપવામાં આવ્યાં હતા. એટલું જ નહિ આ મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ એનાયત થયો હતો.


આ ઉપરાંત દિવ્યાંગ કલાકારોને પોતાની કલા કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ૧૫માં દિવ્ય કલા મેળામાં ૨૦ રાજ્યોમાંથી લગભગ ૧૦૦ દિવ્યાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી શ્રી મોદીએ જળમગ્ન દ્વારકા શહેરમાં પ્રાર્થના કરી
Next articleવડાપ્રધાનશ્રી મોદી દ્વારા દેશમાં ૫૫૪ “અમૃત ભારત” ના આધુનિક રેલ્વે સ્ટેશન ના પુનઃવિકાસ નો ૨૬મી ફેબ્રુઆરીએ સંકલ્પ