Home ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી વડાપ્રધાન પ્રચાર કરવા મેદાને ઉતરશે,

સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી વડાપ્રધાન પ્રચાર કરવા મેદાને ઉતરશે,

32
0

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થનાર છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી રાજકીય પાર્ટીઓએ પ્રચાર વેગવંતો બનાવશે. સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી ખુદ વડાપ્રધાન સ્ટાર પ્રચારક બની ઝંઝાવાતી પ્રચાર કરવા મેદાને ઉતરશે. 20મીએ નરેન્દ્ર મોદી અમરેલી, ધોરાજી, બોટાદ અને વેરાવળમાં જાહેર સભા સંબોધશે.

રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર મળી આઠ બેઠક માટે તા.14ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ ભરાયેલા તમામ ફોર્મની તા.15ના ઓબ્ઝર્વરની હાજરીમાં ચકાસણી કરવામાં આવી હતી, આઠેય બેઠકના મળી કુલ 170 ફોર્મ ભરાઇને રજૂ થયા હતા જેમાંથી 81 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હતા. રાજકોટ વિધાનસભા-68માં ઉમેદવારી માટે 92 ફોર્મ ઉપડ્યા હતા, જેમાંથી 28 ફોર્મ રજૂ થયા હતા, ફોર્મ ચકાસણીના અંતે 12 ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-69માં 75 ફોર્મ ઉપડ્યા હતા, 26 ફોર્મ રજૂ થયા હતા જેમાંથી 15 ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-70માં 77 ફોર્મ ઉપડવાની સામે 27 ફોર્મ ભરાયા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ જી૨૦માં ડિનર દરમિયાન થઈ મુલાકાત
Next articleભાજપ-કોંગ્રેસે પ્રચાર માટે એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટ, હેલિકોપ્ટરથી પાર્કિગ ફુલ, નાઈટ હોલ્ટ થયો બંધ