Home દેશ - NATIONAL મહારાષ્ટ્ર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના એક આરોપી એ બાથરુમમાં આત્મહત્યા કરી

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના એક આરોપી એ બાથરુમમાં આત્મહત્યા કરી

5
0

(જી.એન.એસ) તા. 1

મુંબઈ,

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના એક આરોપીએ આત્મહત્યા કરી છે.મુંબઈ પોલીસે બાંદ્રામાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમાંથી બે લોકોએ સલમાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ફાયરિંગ મામલે ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું હતુ. ક્રાઈમ બ્રાન્ચના સુત્રો મુજબ અનુજે બપોરે 11 થી 12 વાગ્યા નજીક બાથરુમમાં આત્મહત્યા કરી છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરે જણાવ્યું કે, અનુજનું મૃત્યુ થઈ ચુક્યું છે. આ આરોપીઓને પિસ્તોલ સપ્લાય કરવાના મામલે પંજાબમાંથી સોનુ ચંદર અને અનુજ થાપનની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી અનુજ થાપને આત્મહત્યા કરી છે. આરોપીને હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.સલમાન ખાન ફાયરિંગ મામલે પુછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, શૂટરે બંદૂક ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તપાસમાં એ પણ જાણ થઈ કે, આરોપીઓએ મુંબઈમાં ફાયરિંગ પહેલા સલમાન ખાનના પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ (રેકી) આંટાફેરા માર્યા હતા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન, AVSM, VSMએ નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Next articleસેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અને મહામના માલવિયા મિશન, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ