Home મનોરંજન - Entertainment શું?.. દયા બેનની થશે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલમાં વાપસી ?…

શું?.. દયા બેનની થશે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલમાં વાપસી ?…

60
0

(જી.એન.એસ),તા.૨૪
મુંબઈ
છેલ્લા ઘણા સમયથી દર્શકોના દિલમાં રાજ કરી રહેલ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હાલના દિવસોમાં ચર્ચામાં છે. શોમાં તારક મેહતાના પાત્રમાં જોવા મળશા શૈલેશ લોઢાએ શો છોડી દીધો છે. પરંતુ આ વચ્ચે ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. તારક મેહતામાં હવે દયાબેનની વાપસી થવાની છે. હવે શોમાં દયાબેન-જેઠાલાલની કોમેડી ફરી જોવા મળશે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ તેનો ખુલાસો કર્યો છે. નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યુ કે સારા સમય પર દયા બેનને દર્શકોની સામે લાવવામાં આવશે. એક અખબાર સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, દયા બેનના પાત્રને પરત ન લાવવા માટે અમારી પાસે કોઈ કારણ નથી. અમારા માટે થોડો સમય મુશ્કેલ ભર્યો રહ્યો છે. હવે વસ્તુ થોડી સારી થઈ છે. તેમણે કહ્યું કે 2022માં અમે સારા સમયે દયા બેનના પાત્રને પરત લાવવાના છીએ. એટલે ફરી દર્શકોને જેઠાલાલ અને દયા બેનનું મનોરંજન જોવા મળશે. શું ફરી દિશા વાકાણી દયા બેનના પાત્રમાં જોવા મળશે? આ સવાલ પર અસિત મોદીએ કહ્યુ- મને ખ્યાલ નથી કે દિશા વાકાણી દયા બેનના રૂપમાં વાપસી કરશે. દિશા બેન સાથે અમારે સારા સંબંધ છે. અમે એક પરિવારની જેમ છીએ. તેમના લગ્ન થઈ ગયા છે અને એક બાળક છે. દરેક પોતાની જિંદગી અને જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે. આપણી બધાની પોતાની જિંદગી હોય છે. અત્યારે હું તેના પર કંઈ કહેવા ઈચ્છતો નથી દયા બેન કે નિશા બેન હોય પરંતુ દયા બેનની ચોક્કસપણે વાપસી થશે. તારક મેહતા શો છેલ્લા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. તેના તમામ પાત્રો ઘર-ઘરમાં જાણીતા બન્યા છે. દયા બેનની ભૂમિકામાં દિશા વાકાણીને ખુબ લોકપ્રિયતા મળી હતી. તેમણે 2017માં મેટરનિટી બ્રેક લીધો હતો. પરંતુ ત્યારબાદ શોમાં વાપસી કરી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું તમે જાણો છો?… સાઉથ ફિલ્મ માટે આ સિતારાઓ કમાણી કેટલી છે અને કેટલી ફીસ લે છે ?..
Next articleBCCIએ પ્લેઓફ માટે જાહેર કર્યા નિયમ