Home મધ્ય ગુજરાત અમદાવાદ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

22
0

(જી.એન.એસ),તા.૧૮

અમદાવાદ,

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડવા પણ તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટાચૂંટણી લડીશ. આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપ સાથે તેમનો ખુલીને વિરોધ કરવાનું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
Next articleપેરા આર્ચર અને અર્જુન એવોર્ડ વિજેતા, સુશ્રી શીતલ દેવી, ECIના રાષ્ટ્રીય દિવ્યાંગજન આઇકોન