Home રમત-ગમત Sports વર્લ્ડ કપમાં આપણા ખેલાડીઓની જર્સી પર ભારત લખેલું હોવું જોઈએ : વિરેન્દ્ર...

વર્લ્ડ કપમાં આપણા ખેલાડીઓની જર્સી પર ભારત લખેલું હોવું જોઈએ : વિરેન્દ્ર સહેવાગ

12
0

(GNS),06

દેશનું નામ બદલીને ‘India’ને બદલે માત્ર ‘ભારત’ કરવાની અટકળો ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે મોટી માંગણી કરી છે. તેણે માંગણી કરી છે કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર ‘India’ને બદલે ‘ભારત’ લખવું જોઈએ. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માંગણી કરી છે. તેણે આ પોસ્ટમાં BCCI અને તેના સેક્રેટરી જય શાહને પણ ટેગ કર્યા છે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે લખ્યું, ‘હું હંમેશા માનું છું કે નામ એવું હોવું જોઈએ કે તે આપણામાં ગર્વ જગાડે. અમે ભારતીય છીએ.

ભારત નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે અને સત્તાવાર રીતે આપણું મૂળ નામ.. ‘ભારત’ પાછું મેળવવામાં ઘણો સમય લાગ્યો છે. તેણે વધુમાં અપીલ કરી હતી કે વર્લ્ડ કપમાં ખેલાડીઓની જર્સી પર ભારત લખવું જોઈએ. બીસીસીઆઈની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતી વખતે સેહવાગે લખ્યું કે, હવે તે ટીમ ભારત છે ટીમ ઈન્ડિયા નહીં. તેણે લખ્યું, ‘આ વર્લ્ડ કપમાં જ્યારે આપણે કોહલી, રોહિત, બુમરાહ, જડ્ડુને ચીયર કરીએ છીએ, ત્યારે આપણા દિલમાં ભારત હોવું જોઈએ અને ખેલાડીઓ જે જર્સી પહેરશે તેના પર ‘ભારત’ લખેલું હોય.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએશિયા કપમાં પાકિસ્તાનને વધુ એક ઝટકો
Next articleવર્લ્ડકપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ જાહેર, KL રાહુલને વર્લ્ડ કપમાં સ્થાન