Home ગુજરાત વરસામેડીમાં પત્નીની મદદથી પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર

વરસામેડીમાં પત્નીની મદદથી પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર

30
0

અંજાર તાલુકાના વરસામેડીમાં લગ્નની લાલચ આપી પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, બાદમાં દોઢ મહિના સુધી તેને પોતાના ઘરમાં રાખી આરોપી અને તેની પત્નીએ મહિલાને મારકૂટ કરી મહિલા અને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપતા ચકચાર પ્રસરી છે. આ અંગે અંજાર પોલીસ મથકેથી ગાંધીધામમાં રહેતી ભોગ બનનાર 30 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી અને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી તે છેલ્લા 6 વર્ષથી પોતાના સંતાનો સાથે અલગ રહે છે.

જે દરમિયાન વરસામેડીમાં રહેતા આરોપી કૌશીક ખેતશીભાઈ બરારીયા સાથે સંપર્ક સાધતા તેમણે મહિલાને લગ્નની લાલચ આપી તેના સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી અને તેની પત્ની હિરલબેને સાથે મળી ભોગ બનનાર મહિલાને દોઢ મહિના સુધી પોતાના ઘરે રાખી હતી. જ્યાં પણ આરોપી કૌશિકે અવાર નવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું,

આ દરમિયાન આરોપી બંને પતિ-પત્નીએ મહિલાને મારકૂટ પણ કરી હતી અને મહિલા અને તેમના સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે મહિલાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રાન્સપોર્ટ કંપનીના ખાતામાંથી 29.46 લાખ આરટીજીએસ થી ઉપાડનાર બે ઝડપાયા
Next articleઅંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલા નાલંદા સ્કૂલ પાસે સેકન્ડોમાં ઇકો ગાડીની ચોરી