Home ગુજરાત ગાંધીનગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારીના ભાગરૂપે જિલ્લામાં ફૂડ સેફટી...

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારીના ભાગરૂપે જિલ્લામાં ફૂડ સેફટી ડ્રાઈવ યોજી ૩૨૧ જગ્યાએથી અખાદ્ય ચીજોનો નાશ કરાયો

28
0

(G.N.S) Dt. 9

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા દિવાળીના અનુસંધાને ગાંધીનગર શહેર તથા જિલ્લાના જુદા જુદા સ્થળોએ મીઠાઈ નમકીન તથા ઘી જેવા ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
દિવાળીના પ્રસંગે લોકો દ્વારા મીઠાઈ નમકીન વગેરેની ખરીદી વધુ પ્રમાણમાં થતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તેની તકેદારીના ભાગરૂપે જિલ્લાની મીઠાઈની દુકાનો માંથી કુલ ૧૨૩ નમૂના લેવાયા હતા. જેમાં મીઠાઈના ૩૭, ફરસાણના ૨૧, તથા ઘી ના ૩૧ જ્યારે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા કાચો માલસામાન જેવો કે દૂધ, તેલ, મસાલા તથા બેકરીની અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ ૩૪ નમૂના અલગ અલગ સ્થળેથી લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગના નિયુક્ત અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવમાં ફૂડ સેફટી વાન દ્વારા ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કુલ ૩૨૧ જેટલી જગ્યાએ ઓન ધ સ્પોટ ટેસ્ટ કરી ટીપીસી માં ફેલ દર્શાવાયેલ તેલનો આશરે ૫૮ લિટર જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field