Home ગુજરાત ઉત્તર ગુજરાત લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગાંધીનગર લોકસભામાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ શ્રી પંડિત દીનદયાળ...

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગાંધીનગર લોકસભામાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ શ્રી પંડિત દીનદયાળ જીની પ્રતિમાને કુડાસણ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

46
0

(જી.એન.એસ),તા.૦૬

ગાંધીનગર,

આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગાંધીનગર લોકસભામાં પ્રવાસ દરમિયાન માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા શ્રી પંડિત દીનદયાળ જીની પ્રતિમાને કુડાસણ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી.

આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા સહભાગી થઈને સેવા અને ત્યાગના પર્યાય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને નમન સહ પુષ્પાંજલિ અર્પણ કરી.

આ વેળાએ શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમતદાન જાગૃતિનો દીવો પ્રગટાવતો દિવ્યાંગ યુવાન જય ગાંગડિયા
Next articleઅમદાવાદ જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું: સોમવારથી EVM અને વીવીપેટની ફાળવણી કરાશે