Home દેશ - NATIONAL લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર તરફથી દેશને સૌથી મોટી ભેટ મળશે

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર તરફથી દેશને સૌથી મોટી ભેટ મળશે

17
0

દેશને એક સાથે 15 નવા અથવા અપગ્રેડેડ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરાશે!

દેશની એરલાઈન્સે પણ એવિએશન સેક્ટરમાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારી કરી

(જી.એન.એસ),તા.૦૮

નવીદિલ્હી,

દેશને એક સાથે 15 નવા અથવા અપગ્રેડેડ એરપોર્ટ મળવા જઈ રહ્યા છે. તેમાં દિલ્હી, લખનૌ અને પૂણે જેવા દેશના મોટા એરપોર્ટના નવા ટર્મિનલનો પણ સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તરફથી દેશને આ સૌથી મોટી ભેટ મળશે. પરંતુ આનાથી દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં કેવી રીતે બદલાવ આવશે અને સામાન્ય માણસને શું ફાયદો થશે? પીએમ નરેન્દ્ર મોદી જે 15 એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તેમાં ઘણા એરપોર્ટ ધાર્મિક પર્યટનના મુખ્ય સ્થળોની નજીક છે. આ તમામ દેશમાં ધાર્મિક પ્રવાસનને નવી દિશા આપવામાં મદદ કરશે. જેમાં ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, શ્રાવસ્તી અને આઝમગઢ જેવા વિસ્તારોમાં બનેલા નવા એરપોર્ટનો સમાવેશ થાય છે. તો બેલગામ, કર્ણાટકના હુબલી અને મધ્યપ્રદેશના જબલપુર અને ગ્વાલિયરમાં પણ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી રવિવારે આ તમામ એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કરી શકે છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. જો તે આગળ વધવા માંગે છે તો તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની સાથે તેની કનેક્ટિવિટી પણ મજબૂત કરવી પડશે. મોદી સરકારે આ બંને સેગમેન્ટ પર સખત મહેનત કરી છે, જે લાંબા ગાળે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. આવી સ્થિતિમાં, એરપોર્ટનો વિકાસ દેશની અંદર કનેક્ટિવિટી અને ઇન્ફ્રા બંનેમાં સુધારો કરે છે.

આ સિવાય મોદી સરકારનું બીજું મોટું ફોકસ દેશમાં પ્રવાસન વધારવા પર છે. સ્થાનિક સ્તરે, દેશમાં ધાર્મિક પ્રવાસન માટે ઘણી સંભાવનાઓ છે. ત્યારે આપણી પાસે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આમંત્રિત કરવા માટે રામાયણ સર્કિટ, હોળી સર્કિટ, બુદ્ધ સર્કિટ જેવી ઘણી તકો છે. આવી સ્થિતિમાં આ એરપોર્ટના વિકાસથી અહીંની અર્થવ્યવસ્થા અને કનેક્ટિવિટી પણ મજબૂત થશે. આ દરમિયાન દેશની એરલાઈન્સે પણ એવિએશન સેક્ટરમાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો અને અકાસા એરએ છેલ્લા 12 મહિનામાં 1,120 નવા પ્લેન ખરીદવાના ઓર્ડર આપ્યા છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં કહ્યું હતું કે સરકારે આગામી 4 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા 148 થી વધારીને 200 કરવાનો અને તેમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આટલા મોટા રોકાણથી દેશમાં રોજગારીની તકો વધશે. જો ઈટી એ જણાવેલા સમાચારનું જો માનીએ તો, દેશની સૌથી મોટી એરપોર્ટ મેનેજમેન્ટ કંપની અદાણી ગ્રુપે લખનૌ એરપોર્ટમાં કરોડોનું રોકાણ કર્યું છે. જ્યારે જીએમઆર ગ્રુપ દિલ્હી એરપોર્ટને નવું ટર્મિનલ આપવા જઈ રહ્યું છે. આ બધાથી રોજગારમાં વધારો થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાના પડદાની જાણીતી અભિનેત્રી ડોલી સોહીનું નિધન
Next articleસ્મોલકેપ કંપની સેફ્રોન ઈન્ડિયાએ તેના રોકાણકારોને દરેક શેર માટે 6 બોનસ શેર આપશે!