મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની છેલ્લી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. ફિલ્મના પ્રમોશન માટે આમિરે દરેક પ્રયાસ કર્યા હતા અને કરીના કપૂરે પણ વિવાદી નિવેદનો બદલ માફી માગી હતી. આમ છતાં, આ ફિલ્મ ખાસ ચાલી નહીં અને રિલીઝના આઠ વીકમાં જ તેનું ઓટીટી પ્લેટફોર્મ પર આગમન થઈ ગયું છે.
નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને લાલસિંહ ચઢ્ઢા સ્ટ્રીમ થઈ રહ્યું હોવાની માહિતી આપી હતી. આમિર ખાનના ફેન્સે ફિલ્મને જોવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી, જ્યારે કેટલાક નેટિઝન્સે મજાક ઊડાવી હતી કે, રિલીઝને છ મહિના થઈ ગયા હોવાથી ફિલ્મ ઓટીટી પર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આમિરે જણાવ્યું હતું કે, થીયેટર રિલીઝના છ મહિના બાદ જ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થવી જોઈએ.
આમિરની અપેક્ષા મુજબ ફિલ્મ ચાલી ન હતી અને ઓટીટી પ્લેટફોર્મે પણ આમિરની ઈચ્છા મુજબનો નિર્ણય લીધો નથી. ઓટીટી પ્લેટફોર્મે છ મહિનાનો ગેપ રાખવાના બદલે વહેલું સ્ટ્રીમિંગ શરૂ કરી દીધું છે. આમિરે આ મામલે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી નથી. જો કે અમિરની ચૂપકિદી ઘણું બધું કહી જાય છે. સામાન્ય રીતે કોઈ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થવાની હોય ત્યારે તેનું પ્રમોશન પણ ચાલે છે.
ફિલ્મની રિલીઝ સમય જેવું લાંબું નહીં, પરંતુ નોંધપાત્ર અભિયાન હાથ ધરાય છે. જેમાં સ્ટાર્સ બીજી વખત પ્રમોશન માટે મચી પડે છે. લાલસિંહ ચઢ્ઢાની રિલીઝ ગુપચુપ થઈ ગઈ છે. આમિર કે કરીના તરફથી ફિલ્મના પ્રમોશનની એક પોસ્ટ સુદ્ધાં મૂકાઈ નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.