Home ગુજરાત રોટી-રહેઠાણ અને રોજગારનો નવતર સંદેશો આપી બાપૂ મેદાન મારી ગયા

રોટી-રહેઠાણ અને રોજગારનો નવતર સંદેશો આપી બાપૂ મેદાન મારી ગયા

991
0

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૪
ભાજપ-કોંગ્રેસ હજુ ગડમથલમાં છે ત્યારે મિડિયા જાહેરાતો દ્વારા પ્રજાવચ્ચે સૌથી પહેલું પહોંચ્યુ જનવિકલ્પ
સત્તા મળે તો ગુજરાતની પ્રજા માટે શું કરશે તેવો સંદેશો મિડિયા જાહેરાતો દ્વારા આપવામાં ભાજપ-કોંગ્રેસ હજુ ભારે ગડમથલમાં છે ત્યારે જનવિકલ્પના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ પહેલાં ઘા રાણાની જેમ પહેલો ઘા બાપૂનો કહેવત સાર્થક કરીને ગુજરાતના મિડિયામાં પ્રથમ જાહેરાત રિલિઝ કરીને પોતાની સરકારનો રોટી-રહેઠાણ અને રોજગારનો નવતર સંદેશો આપીને ચૂંટણી જંગમાં મેદાન માર્યું છે.
રાજકીય સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતની પ્રજા ભાજપ-કોંગ્રેસ આગામી પાંચ વર્ષમાં શું કરવા માંગે છે તેની આતુરતાપૂર્વક રાહત જોઈ રહ્યા છે ત્યારે જનવિકલ્પ પાર્ટીએ જાહેર કર્યું છે કે તેમની સરકાર ગુજરાતની ૬ કરોડની જનતા માટે રોટી,રહેઠાણ અને રોજગારની વ્યવસ્થા કરશે. સૂત્રો માને છે કે કેટલાક વિરોધી તત્ત્વો દ્વારા જનવિકલ્પ પાર્ટી અને શંકરસિંહ વિશે એવો પ્રચાર કરતા હતા કે બાપુ ગુજરાતના રાજકારણમાં ખોવાઈ ગયે છે,બાપુની પાર્ટી ભાજપની બી ટીમ છે અને તૂટી ગઈ છે. બાપુ પતી ગયા છે એવો કુપ્રચાર બદઈરાદાપૂર્વક ચલાવવામાં આવ્યો. પરંતુ શંકરસિંહ વાઘેલાએ વટ કે સાથ સૌથી પહેલાં મિડિયા જાહેરાત રીલીઝ કરીને પોતાના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે અને મિડિયા રિલિઝ પ્રચારમાં શંકરસિંહે સૌથી અગ્રેસર રહ્યા છે. મિડિયા રિલિઝ દ્વારા પ્રજાની વચ્ચે પહોંચવામાં શંકરસિંહ સૌથી પહેલાં રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ હજુ સોને મઢેલો શબ્દોમાં ઢંઢેરા તૈયાર કરવામાં વ્યસ્ત છે અને સોને મઢેલા રૂપાના શબ્દો દ્વારા ગુજરાતની પ્રજાને છેતરવાના ઢંઢેરા નહીં પણ વાયદા બજારનો મેનીફેસ્ટો તૈયાર કરી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ સુસ્પષ્ટ શબ્દોમાં સટીક મુદ્દો જાહેર કર્યો છે અને રોટી-રહેઠાણ રોજગાર આપવાની જાહેરાત કરી છે. લોકોમાં આ થ્રી-આર એટલે કે રોટી,રહેઠાણ અને રોજગારનો મુદ્દો ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી ગયો છે. કેમ કે ગુજરાતની પ્રજાને હવે સોને મઢેલા શબ્દોના ઢંઢેરામાં કે સંકલ્પ પત્રમાં હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી. બાપૂની સરકાર વાયદાની નહીં પણ ફાયદાની સરકાર હશે અને તેમાં લોકોને જ રોટી,રહેઠાણ,રોજગારનો ફાયદો થવાનો છે. મિડિયા રિલિઝમાં જેમ શંકરસિંહ સૌથી આગળ રહ્યા તેમ ગુજરાતમાં સરકાર બનાવવામાં પણ સૌથી આગળ રહેશે એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિયેટનામમાં વાવાઝોડું 27 માટે બન્યું મોતનું તેડું
Next articleગેસ-રાશન બધું મોંઘુ, પોકળ ભાષણો બંધ કરી કામ આપો નહિંકો સિંહાસન ખાલી કરો : રાહુલ ગાંધી