Home દેશ - NATIONAL રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાય

રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાય

47
0

(GNS),03

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક ૨૮૦ને વટાવી ગયો છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે, કોરોમંડલ એક્સપ્રેસ પહેલા પાટા પરથી ઉતરી ગઈ અને પછી માલસામાન ટ્રેનના એન્જિન પર ચઢી ગઈ. આ પછી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ તેની બોગી સાથે અથડાઈ હતી.

પીએમઓએ જાહેરાત કરી છે કે ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેલ અકસ્માતના કેસોમાં વળતર અંગે સુધારા કરવામાં આવ્યા છે. રેલવે એક્સિડન્ટ્સ એન્ડ એક્સિડન્ટ્સ (કમ્પેન્સેશન) એમેન્ડમેન્ટ રૂલ્સ કહે છે કે આનાથી સંબંધિત ઘણા કેસમાં વળતરની પ્રારંભિક રકમ 4 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમણિપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પરિવારજનો સ્વિકારવા તૈયાર નથી
Next article‘સિર્ફ એક બંદા કાફી હૈ’ થિયેટરમાં થઈ રિલીઝ