Home ગુજરાત રૃપાણી સરકારનું નવું ગતકડું? હવે રેવન્યુ તલાટીની પણ ભરતી નહીં થાય..!??

રૃપાણી સરકારનું નવું ગતકડું? હવે રેવન્યુ તલાટીની પણ ભરતી નહીં થાય..!??

4587
0

(જી.એન.એસ,કાર્તિક જાની)ગાંધીનગર,તા.૧૯
ગુજરાત રાજ્યમાં પંચાયત તલાટી દ્વારા અગાઉ હડતાળ કરવામાં આવી હતી તેમની માગણીમાં મુખ્ય મુદ્દો એ હતો કે રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીના ગ્રેડ પે મા વિસંગતતા કેમ ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેમની અમુક માંગણીઓ સ્વીકારવામાં આવી હતી.
અંગત સુત્રોથી એવી માહિતી આવી રહી છે કે હવે રેવન્યુ તલાટીની ભરતી બહાર પાડવામાં જ નહીં આવે હવે પંચાયત તલાટીની જ ભરતી કરવામાં આવશે. સુત્રોથી એવી પણ માહિતી આવી રહી છે કે ટુક સમયમાં આની જાહેરાત પણ કરી દેવામાં આવશે.
સુત્રોથી એવી પણ માહિતી આવી રહી છે કે પંચાયત તલાટીઓને પ્રમોશનથી વંચિત રહેતા હતા અને જ્યારે રેવન્યુ તલાટી કર્મચારીઓને નાયબ મામલતદાર સુધીનું પ્રમોશન આપી દેવામાં આવ્યા છે.આવા બીજા ઘણા કારણોથી પંચાયત તલાટીઓ નારાજ હતા તેના કારણે જ સરકાર હવે ટુક સમયમાં નિર્ણય લેવા જઇ રહી છે કે હવે ફકત પંચાયત તલાટીઓની જ ભરતી બહાર પાડવામાં આવશે.
સૂત્રોથી એવી માહિતી મળી રહી છે કે 12 પાસ જે પંચાયત તલાટીની ભરતી બહાર પાડવામાં આવતી હતી તે કદાચ હવે સ્નાતક ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે તેવી પણ જાહેરાત થઈ શકે તેમ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધવલસિંહ ઝાલાના કૌભાડ છાવરે છે રૂપાણી સરકાર..?, કેન્દ્ર સરકારના AICTEએ આપી નોટીસ…!!
Next articleસાબરમતી ડીઝલ શેડ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લેવડાવ્યા શપથ.