Home ગુજરાત ગાંધીનગર રાજ્યમાં 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી રેહશે, બાદમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં...

રાજ્યમાં 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી રેહશે, બાદમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થશે: અંબાલાલ પટેલ

12
0

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ 24 એપ્રિલ બાદ  ગરમીના પ્રમાણમાં વધારો  થશે. રાજ્યમાં 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનો અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલે વ્યક્ત કર્યો છે. તારીખ 27 એપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં ઘટાડો થઇ શકે છે. જો કે મે માસમાં ફરી અગન વર્ષોની શરૂઆત થશે. અંબાલાલના જણાવ્યાં મુજબ  આગામી 4 મે પછી ગરમીમાં પ્રમાણમાં ફરી વધારો જોવા મળશે.10 થી 14 મે વચ્ચે અખાત્રીજના દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.,10 મે થી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગોમાં આંધી વંટોળ નું પ્રમાણ વધશે અને વરસાદ પણ પડી શકે છે. 

અંબાલાલ પટેલના આંકલન મુજબ 20 મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શકયતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતની અર્થવ્યવસ્થાએ ગયા વર્ષે સતત વપરાશ અને રોકાણના સંદર્ભમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે: ભારતના આર્થિક બાબતોના સચિવ અજય સેઠ
Next articleસ્પેસએક્સ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની ભારતની યાત્રા મુલતવી