Home ગુજરાત રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરાશે, હાર્દિક સહિતના આરોપીઓ રહેશે હાજર

રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરાશે, હાર્દિક સહિતના આરોપીઓ રહેશે હાજર

425
0

(S.yuLk.yuMk)y{ËkðkË,íkk.08
હાર્દિક પટેલ સામેના રાજદ્રોહ કેસ મામલે આજે વધુ એકવાર ચાર્જફ્રેમની કાર્યવાહી થઇ શકે છે. અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ઘરવામાં આવશે. મહત્વનું છે કે હાર્દિક, ચિરાગ અને દિનેશ પટેલ પર રાજદ્રોહનો કેસ લાગેલો છે. જેથી કોર્ટના આદેશ મુજબ હાર્દિક, ચિરાગ અને દિનેશ પટેલ આજે કોર્ટમાં હાજર રહેશે. તો આ સાથે
જ હાર્દિક પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે આ પહેલા 29 ડિસેમ્બરે રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ હાર્દિકે કરેલી ડિશચાર્જ અરજી પર કોર્ટ રજા પર હોવાથી સુનાવણી ટળી હતી. આ સાથે જ હાર્દિક પટેલ અને દિનેશ પટેલ પણ ગેરહાજર રહ્યાં હતા. જેથી સુનાવણી ટળી હતી. ઉલ્લેખનિય હાર્દિક, ચિરાગ અને દિનેશ પટેલ પર રાજદ્રોહનો કેસ લાગેલો છે. જેથી કોર્ટના આદેશ મુજબ હાર્દિક, ચિરાગ અને દિનેશ પટેલ આજે કોર્ટમાં હાજર રહે તેવી શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાશ્મીરમાં હિઝબુલની એસિડથી હુમલો કરી આંધળા કરી દેવાની ધમકી આપતો વિડીયો વાયરલ
Next articleવિપ્રો ભરતી મેળામાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન