Home ગુજરાત રાજકોટમાં કાર્બાઇડથી પકવાતી ૬ હજાર કિલો કેરીનો નાશ

રાજકોટમાં કાર્બાઇડથી પકવાતી ૬ હજાર કિલો કેરીનો નાશ

407
0

જી.એન.એસ, તા.૧ રાજકોટ
રાજકોટમાં કેરીને ઉતાવળે પકવીને કમાણી કરી લેવાની લ્હાયમાં અમુક વેપારી જન આરોગ્ય સાથે ગુનાહિત ચેડાં કરતા અચકાતા નથી. જીવલેણ ગણાતા કાર્બાઇડથી રાજકોટમાં ઠેર ઠેર કેરી પકવાઇ રહી છે. ત્યારે મનપાની આરોગ્ય ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ કેરીના વેપારીઓ પર દરોડા પાડી મોટા જથ્થામાં કેરીનો નાશ કરે છે. આજે કોઠારીયા રોડ પર આવેલી જલારામ ફ્રૂટની દુકાનમાં દરોડો પાડતા 6 હજાર કિલો કેરી કાર્બાઇડથી પકવેલી હોવાનું માલૂમ પડ્યું હતું. આરોગ્ય ટીમે 6 હાજર કિલો કેરીનો નાશ કર્યો હતો. એક જ જગ્યાથી કેરીના મોટા જથ્થાને નાશ કરવાનો રેકોર્ડબ્રેક થયો હતો.
જલારામ ફ્રૂટ નામની દુકાનમાં કેરીની સાથે 700 કિલો ચિકુ પણ કાર્બાઇડથી પકવેલા હતા. આથી તેનો પણ નાશ કરાયો હતો. આરોગ્યની ટીમે 6 હજાર કિલો કેરી અને 700 કિલો ચિકુને બુલડોઝરથી ઉલેચી કચરા સાથે ભેળવી નાશ કર્યો હતો. ગોડાઉનની અંદર કાર્બાઇડ પાણીમાં નાખીને તેમાંથી ઉત્પન્ન થતો એસિટિલીન નામનો ઝેરી ગેસ ફેલાયેલો હતો અને આ ઝેરી ગેસથી કેરી પકવવામાં આવી હતી.
સામાન્ય રીતે કુત્રિમ રીતે કેરીઓ પકવવા માટે વેપારીઓ દ્વારા કેરીઓમાં કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આનાથી પકવેલી કેરીઓ ખાવી એ ઝેર સમાન છે. કેરીઓ ખાવાથી કેન્સર, શ્વાસોશ્વાસ, જ્ઞાનતંતુઓના રોગો, ઝાડા-ઉલટી, પેટની તકલીફો, તેમજ માથુ દુ:ખવુ અને બેચેની લાગવી જેવી બિમારીઓ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુંછમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ જવાનોના શબને વિકૃત કર્યા
Next articleએરફોર્સમા જોડાઇને પાકિસ્તાનનો ખાતમો બોલાવીશ શહિદ પિતાનો પુત્ર