Home રમત-ગમત Sports રાંચી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી જીત મેળવી લીધી

રાંચી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી જીત મેળવી લીધી

43
0

(જી.એન.એસ),તા.૨૬

રાંચી,

ભારતે ઈંગ્લેન્ડને રાંચી ટેસ્ટમાં 5 વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝ પર કબ્જો કર્યો છે. ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને 5 વિકેટ પડી ચૂકી હતી. ત્યારે શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ શાનદાર પાર્ટનરશીપ કરી ભારતને જીત અપાવી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટ મેચમાં 5 વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે ચોથા દિવસે ટી બ્રેક પહેલા પૂર્ણ કરી લીધો છે. શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ 39 રન બનાવી અણનમ રહ્યા હતા.

ભારતીય ટીમે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની 5મી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં શરુ થશે.ધ્રુવ જુરેલની ઈનિંગ્સના કારણે જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડને પડકાર ફેંકવાની સ્થિતિમાં આવી હતી. ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંને વખત તેણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર લાવ્યો હતો. પહેલી ઈનિગ્સમાં ધ્રુવે 149 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી 90 રન બનાવ્યા હતા. યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ રાંચી ટેસ્ટમાં ભારતની જીતનો હિરો રહ્યો હતો. તેમણે બંન્ને ઈનિગ્સમાં ભારત માટે સંકટમોચક રહ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન
Next articleરાંચીમાં ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી હાર બાદ બેન સ્ટોક્સનું નિવેદન સામે આવ્યું