Home મનોરંજન - Entertainment રણબીર અને આલિયાના લગ્ન વિશે નીતુ કપૂરે કર્યો નવો ખુલાસો

રણબીર અને આલિયાના લગ્ન વિશે નીતુ કપૂરે કર્યો નવો ખુલાસો

68
0

(જી.એન.એસ),તા.૦૧
મુંબઈ

Ranbir Kapoor & Alia bhatt Image From GoogleImages


તાજેતરમાં બોલિવૂડના દિગ્ગજ સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટની બહાર જોવા મળી હતી. નીતુ કપૂર આ રિયાલિટી શો દ્વારા જજ તરીકે ટેલિવિઝન પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે નીતુ કપૂર શૂટિંગ માટે સ્ટુડિયોમાં જઈ રહી હતી ત્યારે પાપારાઝીએ તેને તેના પુત્ર રણબીર કપૂર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટના લગ્નને લઈને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ સવાલ પૂછતાં જ નીતુ કપૂર હસવા લાગી હતી. નીતુ કપૂરે હસતાં હસતાં પાપારાઝીને ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. નીતુ કપૂરનો શો ‘ડાન્સ દીવાને જુનિયર’ મિથુન ચક્રવર્તીના શો ‘હુન્નરબાઝ’ને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. ‘હુનરબાઝ દેશ કી શાન’ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહયો છે. બોલીવુડના વર્તમાન સમયમાં અત્યારે સૌથી લોકપ્રિય ગણાતા સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે રણબીર કપૂરની ફોઈ રીમા જૈન બાદ હવે માતા નીતુ કપૂરે પણ તેમના લગ્નને લઈને એક નવીન ખુલાસો કર્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટુડિયોની બહાર ઊભેલા ફોટોગ્રાફર્સ નીતુ કપૂરને પૂછી રહ્યા છે કે, ”પુત્રવધૂ ક્યારે આવી રહી છે?” જ્યારે નીતુ કપૂરે આ સવાલ સાંભળ્યો તો તેણે આકાશ તરફ ઈશારો કરીને કહ્યું કે ભગવાન જાણે છે આનો જવાબ… પાપારાઝીએ એમ પણ કહ્યું કે રણબીર અને આલિયાની ‘જોડી’ ખૂબ જ સારી લાગે છે. આ સાંભળીને નીતુ કપૂરે તમામ પાપારાઝીનો દિલથી આભાર માન્યો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. નીતુ કપૂરે દિવંગત અભિનેતા અને તેના પતિ ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્માજી નમકીન’ને પ્રમોટ કરવા બદલ ઈન્ડસ્ટ્રીમાં દરેકનો આભાર માન્યો હતો. નીતુ કપૂર આગળ કંઈ બોલે તે પહેલા તેની ટીમ તેને શૂટ કરવા લઈ ગઈ. સેટ પર જતી વખતે તેમની ટીમમાંથી કોઈએ કહ્યું કે નીતુ કપૂર આવતીકાલે એ જ જગ્યાએ મળશે. અમે તમને જણાવી દઈએ કે, ‘નાગિન’ ફેમ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા ડાન્સ દીવાને જુનિયર્સ શો ને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. નીતુ કપૂરનો શો ‘ડાન્સ દીવાને જુનિયર’ મિથુન ચક્રવર્તીની ‘હુનરબાઝ’ને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. ‘હુનરબાઝ દેશ કી શાન’ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહયો છે. આ શો માં જજીઝ તરીકે મિથુન ચક્રવર્તીની સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહર પણ જોવા મળી રહયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકો પોતાને બોડી શેમ કરનારાઓને આપ્યો ‘મિસ યુનિવર્સે’ આવો જવાબ
Next articleબોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કેટરિના કૈફને ‘બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર’નો ખિતાબ મળ્યો