Home મધ્ય ગુજરાત અમદાવાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ના પ્રચાર અર્થે ઘાટલોડીયા મતક્ષેત્રના બોડકદેવ વિસ્તારમાં સ્થાનિક રહીશો સાથે મુલાકાત કરી

122
0

(G.N.S) Dt. 24

અમદાવાદ,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના પ્રચાર અર્થે ઘાટલોડીયા મતક્ષેત્રના બોડકદેવ વિસ્તારમાં વૃંદાવન આવાસ સોસાયટી ખાતે સ્થાનિક રહીશો સાથે મુલાકાત કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત તેમને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી, તેમજ સ્થાનિક લાભાર્થીઓને મળેલ યોજનાઓના લાભો અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી ની આ મુલાકાત માં તેમની સાથે એ. એમ. સી ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તેમજ મોટી સંખ્યા માં પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ભારતમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સલામતીનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે અને ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધ્યું છે, ત્યારે સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને મત આપી માનનીય અમિતભાઈને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવે તેવું આહવાન કર્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્યાલ્ટસુએન જેટસન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાપુર ખાતે સુપ્રસિધ્ધ ગણપતિ મંદિરે દર્શન કર્યા