Home દેશ - NATIONAL મુંબઈના યવતમાલ જિલ્લામાં નાગપુર હાઈ-વે પર અકસ્માત ઃ ૧૦ના મોત

મુંબઈના યવતમાલ જિલ્લામાં નાગપુર હાઈ-વે પર અકસ્માત ઃ ૧૦ના મોત

888
0

(જી.એન.એસ.)મુંબઈ,તા.૧
મુંબઈના યવતમાલ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નાગપુર હાઈવે પર થયેલા અકસ્માતમાં 10 લોકોના નીપજ્યા છે. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ અકસ્માત તે વખતે થયો જ્યારે કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે કારના ફૂરચા ઉડી ગયા અને ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગયો. મહારાષ્ટ્રના યવતમાલના અર્ની વિસ્તારમાં આ અકસ્માત આજે સવારે થયો છે.
યૌવતમાલ પોલીસના જણાવ્યા પ્રમાણે, એક સ્પીડમાં આવી રહેલી ટ્રક અને કાર સામસામે અથડાઇ ગયા. કારમાં પંજાબનો એક પરિવાર હતો. અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા. આ લોકો નાંદેડ સાહેબ દર્શન માટે જઇ રહ્યા હતા.
અથડામણ એટલી ભયંકર હતી કે કારના ફૂરચા ઉડી ગયા. કારના શબોને બહાર કાઢવા માટે કારને મશીનથી કાપવી પડી. તપાસમાં સામે આવ્યું છે કે અતિશય સ્પીડ હોવાને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું પણ મોત થઇ ગયું.
અકસ્માતમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છીએ. તેમને ઇલાજ માટે યૌવતમાલની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોધગયા બ્લાસ્ટ કેસ ઃ પાંચ દોષિતોને આજીવન કેદ,૪૦ હજારનો દંડ
Next articleરૂપાણી-પટેલની રવાનગીની અટકળો વચ્ચે અમિત શાહ અચાનક ગુજરાતની મુલાકાતે…?