Home ગુજરાત ભારે વરસાદથી મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સહાયની માંગ

ભારે વરસાદથી મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સહાયની માંગ

38
0

રાજ્યભરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે. જાેકે, જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.

માંગરોળના વાડલા ગામમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો છે સાથે સાથે પશુઓના ઘાંસચારો પણ નાશ પામ્યો છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ પડી હોય તેવો ઘાટ ઘડાયો છે.

સોમાસાની સીઝનમાં આ વિસ્તારના ખેડૂતોની ખેતીનો મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકનું બિયારણ પણ તણાઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાય પેકેજની માંગ કરી છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માંગરોળના વાડલા ગામના ૬૦ થી ૭૦ જેટલા ખેડૂતોની મગફળી ,સોયાબીન સહીતનો તમામ પાક નિષ્ફળ ગયો છે. તેમજ હાલ જે બાકીનો પાક છે તેમાં પણ પાણી ભરાયેલા હોવાથી પાક ફેઇલ જવાની ભીતિ જાેવા મળી રહી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂનાગઢના ભેંસાણમાં મોટાભાઈએ પાઈપ મારી નાનાભાઈને પતાવી દીધો
Next articleજૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓએ ૯મી આંતરરાષ્ટ્રીય બી-પ્લાન ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન મેળવ્યું